ક્યાં કેટલા થયા મોત
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2 અને તાપીમાં 1 મોત સાથે કુલ 3 લોકોના કોરોનાથી મોત નીપજ્યા હતા.
ક્યાં કેટલા નોંધાયા કેસ
અમદાવાદ કોર્પોરેશનમાં 131, સુરત કોર્પોરેશનમાં 99, વડોદરા કોર્પોરેશનમાં 90, રાજકોટ કોર્પોરેશનમાં 60, સુરત-27, વડોદરા 27, રાજકોટ-19, કચ્છ 18, મહેસાણા 16, આણંદ 14, દાહોદ 13, ભરૂચ 12, જૂનાગઢ 11 અને સાબરકાંઠામાં 10 કેસ નોંધાયા હતા.
આજે કેટલા દર્દી થયા સાજા
રાજ્યમાં આજે કુલ 892 દર્દી સાજા થયા હતા અને 49,952 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 1,00,53,558 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 95.02 ટકા છે.