ગાંધીનગરઃ દિવાળી બાદ રાજ્યમાં કોરોના સંક્રમણમાં વધારો થયો છે. કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 1487 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 17 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3876 પર પહોંચ્યો છે.


રાજ્યમાં હાલ 13836 એક્ટિવ કેસ છે, જ્યારે કુલ 181187 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 89 દર્દી વેન્ટીલેટર પર છે અને 13747 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,98,899 પર પહોંચી છે.
ક્યાં કેટલા થયા મોત

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 13, મોરબી 1, રાજકોટ કોર્પોરેશનમાં 1, સુરત કોર્પોરેશનમાં 1 અને વડોદરા કોર્પોરેશનમાં 1 મળી કુલ 17 લોકોનું મૃત્યુ થયા હતા.

ક્યાં કેટલા નોંધાયા કેસ

અમદાવાદ કોર્પોરેશનમાં 319, સુરત કોર્પોરેશનમાં 217, વડોદરા કોર્પોરેશનમાં 132, રાજકોટ કોર્પોરેશનમાં 95, રાજકોટમાં 59, સુરતમાં 53, મહેસાણા 46, ગાંધીનગર કોર્પોરેશનમાં 44, પાટણ-44, વડોદરા-40, ગાંધીનગર-38, બનાસકાંઠા 30, આણંદ 27, અમદાવાદ 25, પંચમહાલ 25, ખેડા 23, નર્મદા 23, સાબરકાંઠા 23 અને ભાવનગર કોર્પોરેશનમાં 21 કેસ નોંધાયા હતા.

આજે કેટલા દર્દી થયા સાજા

રાજ્યમાં આજે કુલ 1234 દર્દી સાજા થયા હતા અને 69,521 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 73,04,705 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 91.09 ટકા છે.