ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાનો ફફડાટ ફરી એક વખત જોવા મળ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણ ફરી બેકાબૂ બન્યું છે. દિવસેને દિવસે સતત કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 810  નવા કેસ નોંધાયા હતા જ્યારે 586  લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આજે કોરોના સંક્રમણથી રાજ્યમાં બે મૃત્યુ થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 1 અને ખેડામાં 1 મોત થયું છે.  રાજ્યમાં અત્યાર સુધી કુલ 4424 લોકોના કોરોનાથી મોત થયા છે.


રાજ્યમાં અત્યાર સુધી 2,69,361 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.82 ટકા પર પહોંચ્યો છે. હાલ 4422 એક્ટિવ કેસ છે, જેમાંથી 54 લોકો વેન્ટિલેટર પર અને 4368  લોકો સ્ટેબલ છે.


ક્યાં કેટલા કેસ નોંધાયા  ?


સુરત કોર્પોરેશનમાં 217, અમદાવાદ કોર્પોરેશનમાં 163, વડોદરા કોર્પોરેશનમાં 95, રાજકોટ કોર્પોરેશન 61, ભાવનગર કોર્પોરેશન 25, સુરત 24, વડોદરા 22,  મહેસાણા 18, ખેડા 17, પંચમહાલ 17, આણંદ 13, મોરબી 13, દાહોદ 10, પાટણ 10, રાજકોટ અને સાબરકાંઠામાં 9-9 કેસ નોંધાયા હતા.


વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 19,77,802 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 5,00,635 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  રાજ્યમાં આજે કુલ 57,914 લોકોને રસી આપવામાં આવી છે.