ક્યાં કેટલા થયા મોત
રાજ્યમાં આજે રાજકોટ કોર્પોરેશનમાં 5, અમદાવાદ કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશનમાં 3, સુરત 2, વડોદરા કોર્પોરેશન 2, રાજકોટ 1, તાપી 1 મળી કુલ 18 લોકોના મોત થયા છે.
ક્યાં કેટલા નોંધાયા કેસ
સુરત કોર્પોરેશનમાં 195, અમદાવાદ કોર્પોરેશનમાં 147, વડોદરા કોર્પોરેશનમાં 93, સુરતમાં 77, રાજકોટ કોર્પોરેશનમાં 59, રાજકોટમાં 36, અમરેલીમાં 35, ભાવનગર કોર્પોરેશનમાં 35, જામનગર કોર્પોરેશનમાં 34, પંચમાહલમાં 34, મહેસાણામાં 32 નોંધાયા હતા.
આજે કેટલા દર્દી થયા સાજા
રાજ્યમાં આજે કુલ 977 દર્દી સાજા થયા હતા અને 50,124 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે ગુજરાતમાં અત્યાર સુધી કરવામાં આવેલા સૌથી વધુ ટેસ્ટ છે, આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 11,09,005 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 4,94,121 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 4,92,551 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 1611 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.