ગુજરાતમાં આજે રેકોર્ડ 63 હજારથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા, 1145 નવા કેસ નોંધાયા, સંક્રમિતોની સંખ્યા 82 હજારને પાર
એબીપી અસ્મિતા વેબ ટીમ | 19 Aug 2020 08:04 PM (IST)
રાજ્યમાં આજે વધુ 17 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 2839 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,418 એક્ટિવ કેસ છે, જ્યારે 64,830 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. ગુજરાતમાં આજે કોરોનાના 1145 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 17 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 2839 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,418 એક્ટિવ કેસ છે, જ્યારે 64,830 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 81 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,337 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 82,087 પર પહોંચી છે. ક્યાં કેટલા થયા મોત રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 4, સુરતમાં 4, રાજકોટ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 3, ભાવનગર કોર્પોરેશનમાં 1, ગાંધીનગરમાં 1, પાટણમાં 1 મળી કુલ 17 લોકોના મોત થયા છે. ક્યાં કેટલા નોંધાયા કેસ સુરત કોર્પોરેશનમાં 166, અમદાવાદ કોર્પોરેશનમાં 146, વડોદરા કોર્પોરેશનમાં 93, સુરતમાં 72, રાજકોટ કોર્પોરેશનમાં 62, જામનગર કોર્પોરેશન 59, પંચમહાલ 44, ભાવનગર કોર્પોરેશનમાં 35, મોરબી અને રાજકોટમાં 34-34, કચ્છમાં 30, દાહોદમાં 28, અમરેલીમાં 27, ભાવનગરમાં 25, ભરૂચમાં 22, વડોદરામાં 22, મહેસાણામાં 20, બનાસકાંઠામાં 19 કેસ નોંધાયા હતા. આજે કેટલા દર્દી થયા સાજા રાજ્યમાં આજે કુલ 1120 દર્દી સાજા થયા હતા અને 63,031 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 14,78,692 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,15,313 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,14,567 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 777 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.