Corona updates: રાજ્યમાં આજે 1432 નવા કેસ, વધુ 16 લોકોનાં મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 19 Sep 2020 08:47 PM (IST)
રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 121930 પર પહોંચી ગઈ છે. જ્યારે મૃત્યુઆંક 3305 પર પહોંચ્યો છે.
પ્રતિકાત્મક તસવીર
ગાંધીનગરઃ રાજ્યમાં આજે કોરોના વાયરસના 1432 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 16 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3305 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 16054 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધીમાં 102571 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 97 દર્દી વેન્ટીલેટર પર છે અને 15957 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 121930 પર પહોંચી ગઈ છે. ક્યાં કેટલા થયા મોત રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 4, અમરેલી- 1, ભાવનગર- 1, ભાવનગર કોર્પોરેશન- 1, ગાંધીનગર કોર્પોરેશન - 1, કચ્છ-1, રાજકોટ કોર્પોરેશન-1, સુરત કોર્પોરેશન-1, વડોદરા-1 અને વડોદરા કોર્પોરેશનમાં 1ના મૃત્યું સાથે કુલ 16 લોકોના મોત થયા હતા. ક્યાં કેટલા નોંધાયા કેસ સુરત કોર્પોરેશનમાં - 174, સુરતમાં 107, અમદાવાદ કોર્પોરેશનમાં 152, જામનગર કોર્પોરેશન - 103, વડોદરા કોર્પોરેશન- 99, રાજકોટ કોર્પોરેશન - 97, મહેસાણામાં - 69, રાજકોટ-54, બનાસકાંઠામાં 44, વડોદરા- 39, પંચમહાલમાં 30, અમરેલીમાં 29, મોરબીમાં 28, કચ્છમાં 26, ભરૂચમાં 24, પાટણમાં 23, મહીસાગરમાં 16 નોંધાયા હતા. આજે કેટલા દર્દી થયા સાજા રાજ્યમાં આજે કુલ 1470 દર્દીઓ સાજા થયા હતા અને 61, 423 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 37, 39,782 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 84.12 ટકા છે.