રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં એક હજારથી પણ ઓછા  નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણના 996 કેસ નોંધાયા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે 15   દર્દીના મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9921 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 3004 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.  રાજ્યમાં હાલ સાજા થવાનો દર 96.32  ટકા છે.



રાજ્યમાં અત્યાર સુધી 7,85,378 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 20087 પર પહોંચ્યો છે. જેમાંથી 382 દર્દી વેન્ટિલેટર પર અને 19705 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.32  ટકા છે.  


ક્યાં કેટલા કેસ નોંધાયા



આજે અમદાવાદ કોર્પોરેશનમાં 142, વડોદરા કોર્પોરેશનમાં 132,  સુરત કોર્પોરેશન 81, વડોદરા 79, રાજકોટ કોર્પોરેશન 49, વડોદરા 93, જૂનાગઢ 48, સુરત 46, ગીર સોમનાથ 41,  ભરુચ 36, રાજકોટ 28, આણંદ 26,જામનગર કોર્પોરેશન 25,  અરવલ્લી 21, ખેડા 20, નવસારી 17, વલસાડ 16,   બનાસકાંઠા 15, કચ્છ 15, મહેસાણા 15, મહીસાગર 14, અમરેલી 13,  જૂનાગઢ કોર્પોરેશન 13,  ભાવનગર 12, જામનગર 11,  પંચમહાલ 10, સાબરકાંઠા 10, ગાંધીનગર કોર્પોરેશન 8, પોરબંદર 8,  અમદાવાદ 7, ભાવનગર કોર્પોરેશન 7,  દેવભૂમિ દ્વારકા 7,  ગાંધીનગર 5, મોરબી 5, પાટણ 4, સુરેન્દ્રનગર 3,  છોટા ઉદેપુર 2, નર્મદા 2, તાપી 2, દાહોદ 2, બોટાદ 0 અને ડાંગમાં 0  કેસ  સાથે કુલ 996 કેસ નોંધાયા છે.


ક્યાં કેટલા મોત થયા ?


અમદાવાદ કોર્પોરેશ 4, વડોદરા કોર્પોરેશનમાં  1, સુરત કોર્પોરેશનમાં 1, વડોદરામાં 1,  સુરતમાં 2,  રાજકોટમાં 1, જામનગર કોર્પોરેશનમાં 1,  અમરેલીમાં 1, સાબરકાંઠામાં 1, ભાવનગર કોર્પોરેશન 1 અને  નર્મદામાં 1 દર્દીનું મોત થયું છે. આ સાથે રાજ્યમાં કુલ 15 દર્દીઓના મોત થયા છે. 


રાજ્યમાં આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં કુલ 2,63,507 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં કોવિડથી સાજા થવાના દરમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સાજા થવાનો દર 96.32 ટકા છે. રાજ્યમાં અત્યાર સુધી 7,85,378 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે.