રાજ્યમાં આજે 1021 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર 80 ટકા પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 70250 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. હાલ 14686 એક્ટિવ કેસ છે, જેમાંથી 75 દર્દી વેન્ટીલેટર પર છે અને 14611 લોકો સ્ટેબલ છે.
ક્યાં કેટલા થયા મોત
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 3, રાજકોટ કોર્પોરેશનમાં 2, સુરતમાં 2, વડોદરા કોર્પોરેશમાં 2 અને ભાવનગરમાં 1 મળી કુલ 13 લોકોના મોત થયા છે.
ક્યાં કેટલા નોંધાયા કેસ
સુરત કોર્પોરેશનમાં 159, અમદાવાદ કોર્પોરેશનમાં 151, વડોદરા કોર્પોરેશનમાં 88, જામનગર કોર્પોરેશન 77, સુરતમાં 70, રાજકોટ કોર્પોરેશનમાં 67, વડોદરા 32, રાજકોટ 31, ભાવનગર કોર્પોરેશન 30, પંચમહાલ 27, કચ્છ 25, ગીર સોમનાથ 20, ભાવનગર 19, મોરબી 17, અમરેલી 16, ગાંધીનગર 16, અમદાવાદ 14, બનાસકાંઠા 14, ભરૂચ 14, મહેસાણા 14, દેવભૂમિ દ્વારકા 13, જુનાગઢ 13, જુનાગઢ કો4પોરેશન 13, પાટણ 12, મહીસાગર 11, પોરબંદર 11, ગાંધીનગર કોર્પોરેશન 10, નવસારી 10, બોટાદ 9, જામનગર 9, દાહોદ 8, નર્મદા 8, તાપી 8, ખેડા 7, અરવલ્લી 6, સાબરકાંઠા 5, વલસાડ 5, આણંદ 4, છોટા ઉદેપુર 2 અને સુરેન્દ્રનગરમાં 2 કેસ નોંધાયા છે.
આજે કેટલા દર્દી થયા સાજા
રાજ્યમાં આજે કુલ 1021 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે અને 63,065 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 18,19,198 ટેસ્ટ કરવામાં આવ્યા છે.