રાજ્યમાં આજે 1011 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત, રિકવરી રેટ 80.12 ટકા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 25 Aug 2020 09:47 PM (IST)
ગુજરાતમાં સાજા થવાનો દર 80.12 ટકા પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 71261 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.
ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. આજે કોરોનાના 1096 નવા કેસ નોંધાયા છે અને વધુ 20 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 2930 પર પહોંચ્યો છે. જ્યારે કુલ પોઝિટિવ કેસની સંખ્યા 88942 થઈ ગઈ છે. રાજ્યમાં આજે 1011 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. ગુજરાતમાં સાજા થવાનો દર 80.12 ટકા પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 71261 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. હાલ 14751 એક્ટિવ કેસ છે, જેમાંથી 79 દર્દી વેન્ટીલેટર પર છે અને 14672 લોકો સ્ટેબલ છે. અમદાવાદ કોર્પોરેશનમાં આજે 145 કેસ નોંધાયા હતા. તેની સામે 148 લોકો ડિસ્ચાર્જ થયા હતા. સુરતમાં 81 કેસ નોંધાયા છે જ્યારે 64 દર્દી ડિસ્ચાર્જ થયા છે. સુરત કોર્પોરેશનમાં 169 કેસ નોંધાયા છે, જ્યારે 82 દર્દી ડિસ્ચાર્જ થયા છે. પંચમહાલમાં 29 કેસ નોંધાયા છે જ્યારે 74 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. બનાસકાંઠામાં 11 કેસ નોંધાયા જ્યારે 56 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.