ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. આજે કોરોનાના 1101 નવા કેસ નોંધાયા છે અને વધુ 14 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 2897 પર પહોંચ્યો છે. જ્યારે કુલ પોઝિટિવ કેસની સંખ્યા 86779 થઈ ગઈ છે. રાજ્યમાં આજે 972 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.


ગુજરાતમાં સાજા થવાનો દર 80 ટકા પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 69229 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. હાલ 14653 એક્ટિવ કેસ છે, જેમાંથી 79 દર્દી વેન્ટીલેટર પર છે અને 14574 લોકો સ્ટેબલ છે.

સુરત કોર્પોરેશનમાં આજે 162 કેસ નોંધાયા હતા. તેની સામે 118 લોકો ડિસ્ચાર્જ થયા હતા. જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં 153 કેસ નોંધાયા અને સામે 158 લોકો ડિસ્ચાર્જ થયા હતા. રાજ્યમાં આજે વિવિધ જિલ્લામાં મળીને કુલ 972 લોકો ડિસ્ચાર્જ થયા હતા.