અમરેલીઃ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઇ ગઇ છે. ભાજપ, કોગ્રેસ અને આપના નેતાઓ જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. અમરેલી ભાજપના વરિષ્ઠ નેતા ડો.ભરત કાનાબારના ટ્વિટથી રાજનીતિમાં ભૂકંપ આવી ગયો છે.






ભાજપના વરિષ્ઠ નેતા ભરત કાનાબારે ટ્વિટરમાં લખ્યું હતું કે લોકપ્રતિનિધિઓ ચૂંટાયા પછી સ્વહિતમાં રચ્યાપચ્યા રહે છે એ ફરિયાદ કરવાનો અધિકારી લોકોએ ગુમાવી દીધો છે. કેમ કે તે ઉમેદવારની ગુણવતા કરતા તેની જ્ઞાતિ જોઈને મત આપે છે. પક્ષો પણ ઉમેદવારની જ્ઞાતિને જ મહત્વ આપે છે. આઝાદીના 75 વર્ષ પછી પણ લોકશાહી જ્ઞાતિવાદના અજગરની પકડમાંથી મુક્તિ થઈ શકી નથી. અમરેલી બેઠક ઉપર ભાજપમાંથી દાવેદારી કરનારા ડો.ભરત કાનાબારનું ટ્વીટ કોના ઉપર ઈશારો તેને લઈ ગણગણાટ શરૂ થયો છે.


Gujarat Election: કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી ઉપર શાહી ફેંકવાનો પ્રયાસ, જાણો શાહી ફેંકનાર કોણ છે


Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન આજે અમદાવાદમાં કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી પર શાહી ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યલાય ખાતે બપોરના સમયે આ ઘટના બની હતી. એલિસબ્રિજ વિધાનસભાની ટિકિટે લઈ આ પ્રયાસ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના દાવેદાર રશ્મિકાંત સુથારના પુત્ર રોમીલ સુથારે ભરતસિંહ સોલંકી પર શાહી ફેંકવાનો પ્રયાસ કર્યો હતો, જે બદલ તેની અટકાયત કરવામાં આવી હતી.


ડબલ એન્જિન પૈકી એક એન્જિન ફેલ ગયું એટલે વિજયભાઈને બદલ્યા: સોલંકી


મિશન 2022ના પ્રચારના ભાગરૂપે કૉંગ્રેસે ભાજપ સરકાર સામે આરોપનામું રજૂ કર્યું હતું.  પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ પ્રજા સમક્ષ ભાજપ સામેનું આરોપનામું રજૂ કર્યું હતું. પ્રેસ કોન્ફરન્સ સંબોધતા ભરતસિંહ સોલંકીએ કહ્યું હતું કે ભાજપ સરકાર સામેનું આરોપનામું અમે પ્રજા સમક્ષ મૂકીએ છીએ. કોંગ્રેસની સરકાર બનશે ત્યારે અમે પ્રજાની સુખાકારી માટે કામ કરીશું. ભાજપની નીતિ ગુમરાહ કરવાની અને લોકોને બીજી દિશામાં લઈ જવાની છે.