પાટણઃ પાટણનો પ્રસિદ્ધ સમી તાલુકાનો વરાણાનો મેળો બંધ રાખવાનો નિર્ણય થયો છે. આગામી ૧૫ દિવસ માટે વરાણાનું સુપ્રસિદ્ધ ખોડીયાર મંદિર તા.૨/૨/૨૦૨૨ થી ૧૬/૨/૨૦૨૨ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વર્તમાન કોરોનાની પરિસ્થિતિને લઇ મંદિર તેમજ મેળો બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. 


મહાસુદ સાતમ અને આઠમ ના દિવસે લાખો ભક્તો વરાણા ધામ આવે છે. પંદર દિવસ ચાલનાર મેળો મંદિર ટ્રસ્ટ વહીવટીતંત્ર તેમજ ગ્રામ પંચાયત દ્વારા બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. 




ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં આજે ઘટાડો નોંધાયો છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના નવા 12,131  કેસ નોંધાયા છે.  આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 107915 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 297 લોકો વેન્ટીલેટર પર છે. 107618 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1014501 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10375 લોકોના મોત થયા છે.


બીજી તરફ આજે 22070  દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 89.56 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  30 મોત થયા. આજે 1,94,350 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 4046, વડોદરા કોર્પોરેશનમાં 1999, રાજકોટ કોર્પોરેશનમાં 958, સુરત કોર્પોરેશનમાં 628, વડોદરામાં 518, સુરતમાં 443, પાટણ 286, ગાંધીનગર કોર્પોરેશનમાં 271, રાજકોટમાં 255, કચ્છ 206, ભાવનગર કોર્પોરેશનમાં 185, જામનગર કોર્પોરેશનમાં 176, વલસાડમાં 166, બનાસકાંઠા 157, મહેસાણા 157,  નવસારીમાં 151, ભરુચ 148, આણંદ 138, મોરબી 138, ખેડા 129, ગાંધીનગર 128, સાબરકાંઠામાં 106, જામનગર 93, પંચમહાલ 85, અમદાવાદ 78, અમરેલી 78, સુરેન્દ્રનગર 69,  જૂનાગઢમાં 48, તાપી 39, જૂનાગઢ કોર્પોરેશન 36, દાહોદ 35, ગીર સોમનાથ 33,  દેવભૂમિ દ્વારકામાં 27, ભાવનગરમાં 23, મહીસાગરમાં 23, અરવલ્લીમાં 18, નર્મદા 18,  છોટા ઉદેપુરમાં 14, ડાંગ 10, પોરબંદર 10 અને  બોટાદમાં 5 નવા કેસ નોંધાયા છે.


આજે કોરોનાના કારણે 30 લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 7, વડોદરા કોર્પોરેશનમાં 3, રાજકોટ કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશનમાં 1, વડોદરા 1, સુરત 2, રાજકોટ 1,  ભાવનગર કોર્પોરેશનમાં 2, જામનગર કોર્પોરેશનમાં 1, વલસાડમાં 2,  ભરુચમાં 2, ગાંધીનગર 1, પંચમહાલ 1, ભાવનગર 1 અને મહીસાગરમાં 1 દર્દીનું કોરોનાથી મોત થયું છે.


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 25 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 529 લોકોને બીજો ડોઝ અપાયો છે.  45 વર્ષથી વધારેની ઉંમરના 4468 લોકોને પ્રથમ અને 18252 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 21798 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 51755 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ જ રીતે 15-18 વર્ષ સુધીની ઉંમરના 32356 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. પ્રીકોશન ડોઝ 65167 લોકોને અપાયો છે.  આજે કુલ 1,94,350 લોકોનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં કુલ 9,73,85,041 લોકોને રસી અપાઈ છે.