ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિમાં મહત્વના નિર્ણયો લેવાયા હતા. તે અનુસાર રાજ્ય સરકારે ખુલ્લામાં લગ્નપ્રસંગમાં યોજવા પર 300 લોકોની હાજરીને મંજૂરી આપી છે. તે સિવાય આઠ મહાનગર સહિક 27 શહેરમાં 11 ફેબ્રુઆરી સુધી નાઇટ કર્ફ્યૂ યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. રાત્રી કર્ફ્યૂના સમયમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. તે સિવાય લગ્નસમારોહ બંધ જગ્યાએ યોજાય તો 150 લોકોની હાજરીને મંજૂરી આપવામાં આવી છે. લગ્નસમારોહ સિવાયના કાર્યક્રમોમાં 150 લોકોની મર્યાદા યથાવત રાખવામાં આવી છે. કોરોનાની નવી ગાઇડલાઇન 11 ફેબ્રુઆરી સુધી અમલમાં રહેશે.


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતીની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. રાજ્યમાં તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો અને મેળાવડાઓમાં વધુમાં વધુ ૧૫૦ વ્યક્તિઓની મર્યાદા રહેશે. બંધ સ્થળોએ યોજાતા આવા સમારોહમાં જગ્યાની ક્ષમતાના ૫૦ ટકા  પરંતુ વધુમાં વધુ ૧૫૦ વ્યક્તિઓની સંખ્યામાં યોજી શકાશે.


તે સિવાય રાજ્યમાં લગ્ન સમારોહ માટે ખુલ્લી જગ્યામાં ૩૦૦ વ્યક્તિઓની મર્યાદામાં લગ્ન સમારોહ યોજી શકાશે. લગ્ન સમારોહ બંધ જગ્યાએ યોજાય ત્યારે જગ્યાની ક્ષમતાના ૫૦ ટકા પરંતુ વધુમાં વધુ ૧૫૦ વ્યક્તિઓની મર્યાદામાં યોજવાના રહેશે. કોર કમિટીમાં લેવાયેલા નિર્ણય મુજબ રાજ્યના ૮ મહાનગરો સહિત કુલ ૨૭ શહેરોમાં રાત્રિ કરફયુનો અમલ તા.૧૧ ફેબ્રુઆરી સુધી યથાવત રહેશે.હોટેલ્સ રેસ્ટોરન્ટસને હોમ ડીલીવરી સેવા ર૪ કલાક ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી છે.

અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગરમાં રાત્રિ કરફયુ અમલમાં રહેશે. ગૃહ વિભાગની માર્ગદર્શિકાની અન્ય બાબતો આગામી ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૨ના સવારે ૦૬:૦૦ સુધી અમલમાં રહેશે.


 


હવે મોબાઇલ પર Youtube જોવુ થશે વધુ આસાન, યુટ્યૂબ એપમાં એડ થયા આ શાનદાર ફિચર્સ, જાણો


New SmartPhone: માર્કેટમાં હવે એન્ટ્રી કરશે Motorolaનો 200 મેગાપિક્સલ કેમેરા વાળો ફોન, જાણો વિગતે


હવે બદલાઇ જશે Gmailનો લૂક, નવી ડિઝાઇનમાં એક ટેબમાં મળશે Chat, Meet અને Spacesના ઓપ્શન, જાણો કોને મળશે આ ફાયદો........


Green Bonds: ગ્રીન બોન્ડ્સ શું છે જેમાં રોકાણ કરવાથી તમને સારું વળતર મળશે, જાણો વિગતે