અમદાવાદ: રાજ્યની તમામ હોસ્પિટલમાં આઈસીયુમાં રાખવાની તકેદારી બાબતે ગુજરાત હાઈકોર્ટે મહત્વના નિર્દેશ જાહેર કર્યા છે. આઈસીયુમાં ફાયર અગ્નિશામક મટીરીયલ હોય તે પ્રકારના પડદા, ચાદર અને શીલીંગનું મટિરિયલ હોય તે જરૂરી છે. વેન્ટીલેટરની મહિનામાં એક વખત સર્વિસ કરાવવી પડશે.


એરકન્ડીશનરની મહિનામાં એક વખત સર્વિસ કરાવવી પડશે. ઈલેકટ્રીક વાયરીંગમાં ELCB અને MCBનો ઉપયોગ કરવો. તમામ આઈસીયુમાં સ્પિકલર સિસ્ટમ ઇન્સ્ટોલ કરાવવી તેની દર મહિને સર્વીસ કરાવવી.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટનઓ બનતી રહે છે. જેને લઈને ગુજરાત હાઈકોર્ટ દ્વારા આઈસીયૂમાં રાખવાની તકેદારીને લઈ મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.