ગાંધીનગરઃ કેન્દ્રમાં મોદી સરકાર આવ્યા બાદ ગુજરાતમાં સારી કામગીરી કરતાં અધિકારીઓને કેન્દ્રમાં લઈ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.  ગુજરાત કેડરના ત્રણ આઈએએએ ઓફિસરને દિલ્હીમાં મહત્વનું પદ આપવામાં આવ્યું છે.


ગુરુપ્રસાદ મહાપાત્રને  ઇન્ડસ્ટ્રીઝ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. અતનુ ચક્રવર્તીને ઇકોનોમી અફેર્સ સેક્રેટરીનો હવાલો સોંપવામાં આવ્યો છે.

1986 બેચના ગુજરાત કેડરના આઇ એ એસ પી ડી વાઘેલાને ફાર્માસ્યુટિકલ વિભાગના સચિવ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.