BJP Membership: રાજકીય પક્ષ ભાજપે પોતાના સદસ્યતા અભિયાનની શરૂઆત કરી દીધી છે. ગઇકાલથી આ અભિયાનની શરૂઆત ગુજરાતમાં પણ થઇ ગઇ છે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલે હાજરી આપી હતી, અને સંગઠનમાં નવા કાર્યકરોને આવકાર્યા હતા. ઉલ્લેખનીય છે કે, ભાજપમાં દર છ વર્ષે સદસ્યતા ખતમ થઇ જાય છે, જ્યારે દુનિયાના અન્ય સંગઠનોમાં એકવાર જોડાયા બાદ જીવનભર સદસ્યતા રહે છે. 


ભાજપના સદસ્યતા અભિયાનથી દુનિયાને સંગઠનની તાકાત બતાવી છે. ભારતમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહે સંગઠનને મજબૂત કર્યુ છે, અને આ હવે આને કાર્યકરો વધુ મજબૂત કરીને આગળ ધપાવી રહ્યાં છે. ભાજપના સદસ્યતા અભિયાન પર બોલતા સીએમ પટેલ અને સીઆર પાટીલે કાર્યકરોમાં જુસ્સો ભરી દીધો હતો.


આજે ગાંધીનગરમાં ગુજરાત ભાજપ સંગઠન પ્રમુખ સીઆર પાટીલે સદસ્યતા અભિયાન અંગે માહિતી આપતા જણાવ્યુ હતુ કે, ગુજરાત માં એક ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે, દિલ્હી મિટિંગમાં જ ટાર્ગેટ તૈયાર કરવામાં આવ્યો છે, આમ ૨ કરોડ જેટલા મત લોકસભામાં પ્રાપ્ત થયા છે. ૨૦૧૯ લોકસભા બેઠકમાં ૧.૮૭ કરોડ મત મળ્યા છે. ૨૦૨૨ વિધાનસભાની ચુંટણીમાં ૧.૭૩ કરોડ મત મળ્યા છે. જેથી ૨ કરોડ નો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. સંગઠન મજુબત હશે તો જ ચૂંટણી જીતી શકો અને સરકાર બનાવી શકો છે.


ગાંધીનગરમાં સદસ્યતા અભિયાન કાર્યક્રમમાં સીઆર પાટીલે જાહેરાત કરી છે કે, પીએમ મોદી આગામી 15-16 સપ્ટેમ્બરના રોજ ગુજરાત આવશે. 15 સપ્ટેમ્બરના રોજ ડીસામાં કાર્યક્રમ યોજાશે. ૧૬ સપ્ટેમ્બરના રોજ અમદાવાદમાં ૧ લાખ કાર્યકર્તાઓ સાથે રાખીને પીએમ મોદીનું સ્વાગત અને પીએમ બનવા બદલ અભિનંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 16 સપ્ટેમ્બરના રોજ મહાત્મા મંદિરમાં સરકારી કાર્યક્રમમાં હાજરી આપશે. અમદાવાદ ગાંધીનગર મેટ્રૉ ટ્રેનનું ફ્લેગ ઓફ કરશે. સીઆરે વધુમાં જણાવ્યું કે, 66 લાખ બહેનો પ્રાથમિક સદસ્ય બને એ રીતનું આયોજન કરવામાં આવ્યુ છે. 


સીઆર પાટીલે જાહેરાત કરી છે કે, 24,800 બોર ગુજરાતમાં બનશે, 6 સપ્ટેમ્બરના રોજ પીએમ મોદી વર્ચ્યૂઅલી જોડાશે, જમીન પાણીનું સ્તર વધારવાનું આયોજન કરવામાં આવશે. પાણી વહી ના જાય એ માટેનું ખાસ આયોજન કરાશે. હાલમાં વરસાદનું ફકત 8% પાણી બચાવી શકીએ છીએ, આવનારા દિવસનો 25% સુધી પાણી બચાવવાનું આયોજન છે. 


કાર્યકર્તા અને કાર્યકર્તાઓનો જુસ્સો અલગ જ હોય છે, મારું કાર્યકર્તા તરીકે રજિસ્ટ્રેશન થયું તો જુસ્સો વધી ગયો હતો. દેશને પ્રથમ રાખીને કોઈ કાર્યકર્તા કાર્ય કરતું હોય તો એ ભાજપ છે, ભાજપમાં શક્ય બને છે સામાન્ય કાર્યકર્તાથી દેશના ત્રીજી વખત પીએમ બનવું ઉદાહરણ છે.