અમદાવાદઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર દાખલ કરવાનો શનિવારે છેલ્લો દિવસ હતો. આ દરમિયાન સુરેન્દ્રનગરના થાનગઢમાં એક નાટ્યાત્મક ઘટનાક્રમ બન્યો હતો. જેમાં સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખે થનાગઢ તાલુકા પંચાયતના 16 ઉમેદવારો માટે જેમના મારફતે મેન્ડેટ મોકલ્યા હતા તે જ ભાજપમાં ભળી ગયા હતા.


જેના પરિણામે મેન્ડેટ જ ન મળતા ચૂંટણી લડવા નીકળેલા ઉમેદવારોની આશા પર પાણી ફરી વળ્યું હતું. આમ થાનગઢ તાલુકા પંચાયતના કોંગ્રેસના બધા ઉમેદવારો ભાજપમાં ભળી જતાં કોંગ્રેસ અહીંથી સાફ થઈ ગઈ હતી.

8473 બેઠકો પર 21600થી વધારે ફોર્મ ભરાયા છે. સોમવારે ચકાસણી અને મંગળવારે ઉમેદવારી પાછી ખેંચાયા બાદ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે.