ગાંધીનગરઃ મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આજે પત્રકાર પરીષદમાં વાત કરતાં બની બેઠેલા ખેડૂતોને ચિમકી ઉચ્ચારી છે. તેમણે કહ્યું કે, બની બેઠેલા ફર્જી ખેડૂતોની ખેર નથી. ખોટા ખેડૂત ખાતેદાર બન્યા હોવાની ફરિયાદ મુદ્દે તેમણે આ નિવેદન આપ્યું હતું. 


ખેડા ખાતે આવેલા મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું હતું કે,  આ સરકારે કોઈપણ બોગસ ખેડૂતને નહિ છોડવાનો નિર્ણય કર્યો છે. અમારા પણ બાતમીદાર હોય છે તેમની પાસેથી માહિતી મેળવી છે. અધિકારી સામે પણ આક્ષેપ થયા છે. બોગસ ખેડૂત અને અધિકારીઓને છોડવામાં નહિ આવે. 1730 કેસ તપસ્યા છે. 628 કેસ સંકસ્પદ જણાયા છે. 500 લોકોને દસ્તાવેજ દર્શાવવા નોટિસ આપી છે. માત્ર માતર જ નહિ કોઈપણ જગ્યાએ છોડવામાં નહિ આવે. એક સમાજના લોકો ખરીદે છે તેને છોડવામાં નહિ આવે. રૂ 400 કરોડની જમીન બનાવટી ખેડૂતોએ ખરીદી છે. આ તમામ જમીન શ્રી સરકાર થઈ જશે.


તેમણે કહ્યું કે, ગુનેગારોને 10 વર્ષની જેલની સજા કરવામાં આવશે. 1900થી 2 હજાર વીઘા જામીન બનાવટી ખેડૂતોએ ખરીદી છે. કમાલ ભાઈએ પોતાની અટક કમલવાલા કરીને બોગસ ખેડૂત બની જમીન ખરીદી છે. બહેરામપુરા અને જમાલપુર માંથી દસ્તાવેજ ઊભા કર્યા છે. ભગવાનના મંદિરને પણ છોડતા નથી . પ્રાણનાથ મહાદેવની જમીન પણ ખરીદી લીધી છે. ખેતી અને ધાર્મિક સંસ્થાની જમીન પણ છોડવામાં નહિ આવે. માતરના સાણંદના હિન્દુ ખાતેદારોની જમીન મુસ્લિમ વ્યક્તિ જમીન ખરીદે છે. માતરના બારોટ અટકવાલા ભાઈએ ગઢવીને જમીન આપી છે. અમીનબીબીનું નામ બદલી અમીનબીબી કરી બંને એક જ છે તેવું દર્શાવી પૌત્રના નામ જમીન ખરીદી. 
માતર ગામમાં બે ખાતાની જમીન 3 વ્યક્તિના નામે હતી 2006માં વારસાઈ થતાં 44 વ્યક્તિ વારસદાર બની ગયા. ભાણી અને ભાનિયના નામો દાખલ કરાવ્યા છે. 2006માં માટેની ઉંમર 49 વર્ષ અને પુત્રની ઉંમર 51 વર્ષ દર્શાવી છે.



આ લેન્ડ જેહાદ છે. આ પૈસા ક્યાંથી આવ્યા તેની તપાસ કરવા EDને કહીશું. ફાર્મ હાઉસના એક માલિકે સંદના ગામમાં જમીન રાખી જેનું નામ માતરમાં નથી. ભરવાડ જ્ઞાતિના વર્સાઈમાં મુસ્લિમ ધર્મના વ્યક્તિના નામ ચડવ્યા છે. એક વિશિષ્ટ સમુદાયના અધિકારી હતા 200 કેસ તેમના છે.