અમદાવાદઃ મોરબી ઝૂલતા પુલ તૂટવાની દુર્ઘટનાને લઇને મોટા સમાચાર આવ્યા છે. ગુજરાત હાઇકોર્ટમાં આ મામલે યોજાયેલી સુનાવણીમાં મોરબી નગરપાલિકાએ સ્વીકાર કર્યો હતો કે જે દિવસે પુલ તૂટ્યો તે દિવસે પણ પુલના ઉપયોગ માટેની મંજૂરી આપવામાં આવી નહોતી.


મોરબી નગરપાલિકાએ કહ્યું હતું કે બ્રિજ જોખમી હોવા છતા ચાર મહિના સુધી પુલનો ઉપયોગ જનતા માટે કરાયો હતો. હાઇકોર્ટે મોરબી નગરપાલિકા વિરુદ્ધ આકરી ટિપ્પણી કરી હતી. ગુજરાત હાઇકોર્ટે કહ્યું કે  જનરલ બોર્ડની મંજૂરી લીધા વિના અજંતા ગ્રુપને કામ કઇ રીતે અપાયું. MOU કે એગ્રીમેન્ટ વિના પુલના ઉપયોગને છૂટ કેવી રીતે અપાઇ હતી.


ગુજરાત હાઇકોર્ટે 24 નવેમ્બરના રોજ ઇન્ચાર્જ ચીફ ઓફિસરને રૂબરૂ હાજર રહેવાનો આદેશ કર્યો હતો.  કોર્ટે ઉઠાવેલા સવાલોના જવાબ સોગંદનામા પર રજૂ કરવા પણ આદેશ કરાયો હતો. આ મામલાની આગામી સુનાવણી 24 નવેમ્બરના રોજ હાથ ધરાશે.


Gujarat Election 2022: AAPના આ ઉમેદવારે ફોર્મ ખેંચ્યું પાછું, ભાજપે પરત ખેંચવા મજબુર કર્યાનો આરોપ


Gujarat Election 2022:ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ પ્રથમ તબક્કાના મતદાન માટે ઉમેદવારી પત્રો ભરાઈ ગયા છે. આજે ઘાટલોળિયાથી ભૂપેન્દ્ર પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યું. તો બીજી તરફ આમ આદમીના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લીઘું છે.


આપ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ આ મામલે ભાજપ પર આરોપ લગાવતાં મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, ભાજપ દ્રારા ધાક ધમકી આપીને તેમને ફોર્મ પરત લેવડાવવા માટે મજબુર કરવામાં આવ્યાં હતા. તેઓ કાલ સવારથી જ ગૂમ હતા.અને તેમને શોધતા હતા. તેમણે કહ્યું કે,. જનસેવાની ભાવનાથી આમ આદમી પાર્ટીમાં જોડાયેલા કંચનભાઇને ખૂબ જ માનસિક રીતે ત્રાસ આપવામાં આવ્યો હતો અને જેના કારણે તેમણે દુ;ખી હૃદયે ફોર્મને પરત ખેંચ્યું છે.

 ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ પ્રથમ તબક્કાના મતદાન માટે ઉમેદવારી પત્રો ભરાઈ ગયા છે. આ દરમિયાન સુરતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. સુરત પૂર્વના આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન જરીવાલાને કાલ સવારથી ભાજપે કીડનેપ કર્યા હોવાનો આરોપ રાઘવ ચઢ્ઢાએ લગાવ્યો છે.


રાઘવ ચઢ્ઢાએ કહ્યું, તેમને સવારથી ભાજપના ગુંડાઓથી પરેશાન હતા. ભાજપમાં એટલો ડર છે કે હવે તેઓએ સરેઆમ આપના ઉમેદવારના અપહરણ કરવાના શરૂ કર્યા છે. ભાજપના ગુંડાઓએ દબાણ કર્યું હતું કે, તમે નામાંકન રદ્દ કરો અને ઉમેદવારી પરત ખેચો. ઉમેદવારી પાછી ખેચવા માટે દબાણ કરતા ભાજપના ગુંડાઓની વાત ન માનવાથી તેમનું અપહરણ કરવામાં આવ્યું છે. કોઈ અજાણી જગ્યા પર તેમને લઈ જવામાં આવ્યા છે, તેમનું લોકેશન કોઈને ખ્યાલ નથી , તેમનો ફોન બંધ આવે છે. આ અંગે ચૂંટણી પંચમાં લેખિત ફરીયાદ કરવામાં આવી છે. કંચનજીના પરિવાર પર દબાણ કરવામાં આવી રહ્યું છે