Cattle Issue : સરકારની 500 કરોડની સહાય મામલે અનેક આવેદનો, ધરણા કર્યા છતાં સહાય ના ચૂકવતા આંદોલન ઉગ્ર  બન્યું છે. ઉત્તર ગુજરાતમાં પાંજરાપોળ સંચાલકોએ ગાયો રસ્તા પર છોડી દીધી છે. થરાદ મામલતદાર કચેરી પહોંચ્યા પશુઓ. થરાદના 92 જેટલી ગૌશાળાઓ અને પાંજરાપોળની ચાવીઓ પ્રાંત કચેરીએ સુપ્રત કરાશે. થરાદ મામલતદાર કચેરીએ પહોંચ્યા ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો પશુઓ લઈ. પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ ગાયો પહોંચી મામલતદાર કચેરીએ.




લાખણીમાં પણ ગૌશાળા અને પાંજરાપોળના પશુઓ છોડી મુકાયા. લાખણી તાલુકાના ગેળા,સેકરા અને લાખણી ના પશુઓને રોડ ઉપર છોડી મુકાયા. પશુ અને રોડ ઉપર છોડી મુકાતા ટ્રાફિક જામના દ્રશ્યો.  ગૌશાળા પાંજરાપોળ ના સંતો અને સંચાલકોને ડીસા તરફ જતા રોકવામાં આવ્યા. અમુક ગૌશાળા સંચાલકની અટકાયત કરાય. ડીસાની ગૌ શાળા પાંજરાપોળમાંથી ગાયોને છોડી મુકવામાં આવ્યા. 




500 કરોડ ની ગૌશાળા પાંજરાપોળ નિભાવ માટેની જાહેરાત બાદ અમલવારી ન થઈ. સરકારી જાહેરાત બાદ અમલવારી ન થતા ગૌશાળા પાંજરાપોળ નો નિભાવ બન્યો કઠિન. સરકાર મા અનેક વખત રજુઆત બાદ પણ ન આવ્યું નિરાકરણ. આખરે ના છુટકે ગૌશાળા પાંજરાપોળ માંથી ગાયો ને છોડી મુકવાની ફરજ પડી. ડીસાના કાંટથી ગૌશાળા ની ગાયોને છોડી મૂકવામાં આવી. દિવસ દરમિયાન તમામે તાલુકાના પશુઓને છોડી મૂકવામાં આવશે.




ગૌશાળા અને પાંજરાપોળની પશુઓ છોડવાની ચીમકી ના પગલે પોલીસ એલર્ટ મોડમાં. ડીસાના કાંટ પાંજરાપોળ રોડ પર પોલીસ દવરા લગાવ્યા બેરીકેટ. 500 કરોડની સહાય મામલે શે પાંજરાપોળ અને ગૌશાળા ના પશુઓ સરકારી કચેરીઓમાં છોડવામાં આવશે. આજથી થરાદની 92 ગૌશાળાઓની ગાયો મામલતદારને સુપ્રત કરાશે. 
ઉપવાસ ઉપર ઉતરેલા થરાદના MLAને ઇન્ફેક્શન થતાં સારવાર શરૂ કરાઈ. પાલનપુર નેત્રમ નો ગુજરાતમાં બીજો નંબર એપ્રિલથી જૂન સુધીમાં 16287 ઇ મેમા જનરેટ થયા 8400 એ મેમાં ભર્યા. પાલનપુરના મલાણા ગામમાં એકજ રાતમાં ત્રણ મકાનના તાળા તૂટ્યા. ચૂંટણી પહેલા પાલનપુરના ગણેશપુરા જનતાનગર નો રોડ મંજૂર કરવાની માંગ..


વડગામના થલવાડા ના યુવકે ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું. મલાણા નજીક બાઈક ઉપર ત્રણ સવારી યુવાકોને ટ્રકની ટક્કર વાગતા એકનું મોત. બનાસકાંઠામાં ગૌશાળા પાંજરાપોળના સંચાલકમાં રોષ. 500 કરોડની સહાય ન મળતા આજે ગૌશાળાની ગાયો છોડી મુકાશે. ગૌશાળા અને પાંજરાપોળની ગાયો સરકારી કચેરીમાં છોડી મુકવા સંચાલકો મક્કમ. સરકારી સહાય માટે અનેક રજુઆત ધરણા પોસ્ટર લગાવ્યા બાદ પણ કોઈ નિર્ણય ન આવતા રોષ. જિલ્લાની તમામ ગૌશાળા અને પાંજરા પોળ ની ગાયો છોડાશે સરકારી કચેરીએ છોડી મુકાશે.



સહાય નહિ ચૂકવાય તો રાધનપુરના ગૌભક્ત તેમજ ગૌશાળા સંચાલકો એ પશુઓ ને સરકારી કચેરીમાં  ગાયો છોડવાની આપી હતી ચીમકી. આજે વહેલી સવારે રાધનપુર પ્રાંત કચેરી તેમજ મામલતદાર કચેરીમાં ગાયો નો કર્યો ખડકલો. રાધનપુર ગૌભક્તો એ સુરભીગૌશાળા તેમજ પાંજરાપોળ ની ગાયો સરકારી કચેરીમાં બાંધી. પ્રાંતકચેરી તેમજ મામલતદાર કચેરીમાં ગાયો ને એક દિવસ પૂરતો ઘાસચારો નાખી બાંધવામાં આવી. સત્વરે સરકાર દ્વારા સહાય ચુકવવામાં આવે નહીતો હજુ પણ જાહેર માર્ગો પર ગાયો છોડવાની આપી ચીમકી.