Banaskantha News: લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. આપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરીએ રાજીનામું આપ્યું છે. તેમણે તમામ હોદ્દાઓ પરથી રાજીનામુ ધરી આપને બાય બાય કર્યુ છે. ભેમાભાઈ આપમાંથી 2022માં દિયોદર બેઠક પરથી વિધાનસભા ચૂંટણી પણ લડ્યા હતા. તેમણે પાર્ટી પ્રમુખ અને પાર્ટીના પ્રભારીને રાજીનામું મોકલી આપ્યું છે. લોકસભા ચૂંટણીના ભણકારા વચ્ચે બનાસકાંઠા આપનો મોટો ચહેરો ગણાતા ભેમાભાઈના રાજીનામાંથી જિલ્લામાં રાજકીય હડકંપ મચ્યો છે.




શક્તિસિંહ ગોહિલ પ્રમુખ બનતા જ કોંગ્રેસમાં ભરતી મેળો શરુ થયો છે. ખેડા, આણંદ, અને અમદાવાદ જિલ્લાના આપના આગેવાનો કોંગ્રેસમાં જોડાયા હતા. જિલ્લા પ્રમુખથી લઇને સંગઠનના આપના નેતા કોંગ્રેસમાં જોડાયા હતા. 20થી વધુ આપના નેતા અને સામાજિક અગ્રણી કોંગ્રેસમાં જોડાતા લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હકા.


આપ છોડી કોંગ્રેસમાં સામેલ થનારા નેતા



  • જયેશ ઠાકોર, લીંબડી વિધાનસભા 

  • નલિન બારોટ,  ખેડા જિલ્લા પ્રમુખ

  • સમીર વોરા, ખેડા શહેર પ્રમુખ

  • દિનેશ પરમાર, જનરલ સેક્રટરી ખેડા આપ

  • પ્રકાશ પટેલ, અમદાવાદ જિલ્લા મહામંત્રી 

  • લક્ષ્મણ ચૌહાણ, એજ્યુકેશન સેલ આપ

  • મંત્રી પ્રમોદભાઈ ત્રાડા,શહેર સંગઠન મંત્રી,જેતપુર


આ તમામ નેતાઓએ કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની હાજરીમાં કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. તો બીજી તરફ સરકારને દંડ ફટકાર્યો તેના પર પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, કોંગ્રેસની સરકારે નર્મદા બંધનું કામ પૂર્ણ કર્યું હતું. ભૂર્ગભજળની અવ્યવસ્થાને કારણે ગુજરાતને  12.32 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો. ગુજરાત સરકારે પ્રજાની માફી માંગવી જોઈએ. જળવ્યવસ્થાપન ગુજરાતમાં થાય તો ખેડૂત અને પશુપાલન ક્ષેત્રે જોડાયેલા લોકોને ફાયદો થશે.


જેતપુરમાં આમ આદમી પાર્ટીમાં ભંગાણ






 

આ પણ વાંચોઃ