Gujarat Politics News: લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, તેમ તેમ રાજકીય ઘટનાઓ ઘટી રહી છે, હવે આ કડીમાં ડેડિયાપાડામાં વધુ એક મોટા ઘટના ઘટી છે. આજે ડેડિયાપાડના ધારાસભ્ય ચૈતર વસાવાની પત્ની વર્ષા વસાવાએ એક પ્રેસ કૉન્ફરન્સ કરી છે, જેમાં તેમને શાક્ષક પક્ષ પર આરોપ ગંભીર આરોપો લગાવ્યા છે. 


આપ નેતા ચૈતર વસાવાની પત્નિ વર્ષા વસાવા સહિત આદિવાસી નેતાઓએ પ્રેસ કૉન્ફરન્સ કરીને શાક્ષક પક્ષ બીજેપી પર ગંભીર આરોપો લગાવ્યા છે, તેમને કહ્યું કે, તેમના પતિ ચૈતર વસાવા પર દબાણ કરવામાં આવી રહ્યું છે. તેમને લોકસભા ચૂંટણી ના લડવા દેવા માટે બીજેપી તરફથી દબાણ કરવામાં આવી રહ્યું છે, તેમને હેરાનગતિ કરીને બીજેપીમાં લઇ જવાના પ્રયાસો થઇ રહ્યાં છે. 


ડેડિયાપાડના AAP MLA ચૈતર વસાવાની પત્નીનો વર્ષા વસાવાએ શાસક પક્ષ પર ગંભીર આરોપો લગાવતા કહ્યું કે, ચૈતર વસાવાને કિન્નાખોરી રાખીને હેરાન કરાઇ રહ્યાં છે. તેમને ચૈતર વસાવાની લોકસભાની ચૂંટણી લડવાના પણ સંકેતો આપ્યા છે. ચૈતર વસાવા લોકસભા ચૂંટણી ના લડે તે માટે હેરાન કરાય છે. ચૈતર વસાવાએ કોઈપણ પ્રકારનું ફાયરિંગ ના કર્યાનો પણ પત્ની વર્ષા વસાવાનો દાવો છે. વન વિભાગના અધિકારીને માર મારવાના કેસમાં પણ ચૈતર વસાવા આરોપી છે. ચૈતર વસાવા પર વન વિભાગના અધિકારીને માર મારવાનો આરોપ લાગ્યો છે, અને ફરિયાદ બાદ અત્યારે ચૈતર વસાવા પોલીસ પકડની બહાર છે. 


ચૈતર વસાવાના પત્ની વર્ષા વસાવાએ પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યુ કે, ચૈતર વસાવા વિરૂદ્ધની ફરિયાદ ખોટી છે. વનવિભાગે ફરિયાદ ઉપજાવી કાઢી છે, ચૈતર વસાવા વનકર્મી-ખેડૂતો વચ્ચે સમાધાનના પ્રયાસો કર્યા હતા. પોલીસકર્મીઓ બળજબરીથી અમારા ઘરમાં ઘૂસ્યા હતા. પોલીસ અધિકારીઓએ આખી રાત હેરાન કર્યા હતા. શકુંતલાબેનને આખો દિવસ પોલીસ સ્ટેશને બેસાડી રાખ્યા હતા. FIRમાં ખોટી રીતે કલમો ઉમેરવામાં આવી છે.