ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. આજે કોરોનાના 1092 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 18 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 2733 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,310 એક્ટિવ કેસ છે, જ્યારે 58,439 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 79 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,231 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 75,482 પર પહોંચી છે.


ક્યાં કેટલા થયા મોત

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશનમાં 4, રાજકોટ કોર્પોરેશનમાં 3, ભાવનગર કોર્પોરેશન, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ, જામનગર, કચ્છ, સુરત અને વડોદરા કોર્પોરેશન 1 દર્દીના મોત સાથે કુલ 18 લોકોના મોત થયા છે.

ક્યાં કેટલા નોંધાયા કેસ

સુરત કોર્પોરેશનમાં 181, અમદાવાદ કોર્પોરેશનમાં 143, વડોદરા કોર્પોરેશનમાં 87, સુરતમાં 70, રાજકોટ કોર્પોરેશનમાં 63, જામનગર કોર્પોરેશનમાં 36, અમરેલીમાં 33,
રાજકોટમાં 32, ગીર સોમનાથ 29, ભાવનગર કોર્પોરેશન -25, દાહોદ-25, મોરબી 25, અમદાવાદ- 23, પંચમહાલ-23, કચ્છ-22, વડોદરા-22, મહેસાણા 20, ગાંધીનગર-18, સુરેન્દ્રનગર-17, મહિસાગર-16, ભાવનગર-15, ગાંધીનગર કોર્પોરેશન -15,નવસારી -14, વલસાડ-14, ખેડા-12, બનાસકાંઠા-11, પાટણ -11,ભરુચ-10, જુનાગઢ-10, આણંદ-9, છોટા ઉદેપુર-8, જુનાગઢ કોર્પોરેશન-7, બોટાદ-6, દેવભુમિ દ્વારકા-6, નર્મદા-5, પોરબંદર 5, અરવલ્લી-4, જામનગર 3, તાપી -2 અને અન્ય રાજ્યના 5 કેસ નોંધાયા છે.

આજે કેટલા દર્દી થયા સાજા

રાજ્યમાં આજે કુલ 1046 દર્દી સાજા થયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 11,59,822 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 4,88,700 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 4,87,309 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 1419 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.