Gujarat schools: ગુજરાત સરકારે ખાનગી શાળાઓમાં ખાનગી પ્રકાશનોના પુસ્તકોના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. આ નિર્ણય મુજબ, રાજ્યની તમામ ખાનગી શાળાઓએ હવે NCERT અથવા GCERT દ્વારા મંજૂર કરાયેલા પુસ્તકોનો જ ઉપયોગ કરવો પડશે. આ ઠરાવનો મુખ્ય હેતુ શિક્ષણ ખર્ચમાં ઘટાડો કરવાનો અને શૈક્ષણિક સામગ્રીમાં એકરૂપતા લાવવાનો છે. આ ઠરાવ ગુજરાત બોર્ડ, સીબીએસઈ બોર્ડ અને રાજ્યના અન્ય માન્ય બોર્ડ સાથે સંકળાયેલી તમામ ખાનગી શાળાઓને લાગુ પડે છે. NCERT અને GCERT દ્વારા પ્રકાશિત પુસ્તકો ઉપરાંત, CBSE દ્વારા મંજૂર કરાયેલા પુસ્તકોનો પણ ઉપયોગ સીબીએસઈ શાળાઓમાં થઈ શકશે. જો કોઈ શાળા આ ઠરાવનું પાલન કરવામાં નિષ્ફળ જાય, તો તેમના સામે કાયદેસરની કાર્યવાહી કરી શકાય છે.


આરટીઈ એક્ટ 2009 હેઠળ વ્યાખ્યાયિત તમામ કેન્દ્રિય શાળાઓ અને સીબીએસઈ શાળાઓએ NCERT (નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ) અથવા SCERT (સ્ટેટ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ) દ્વારા નિર્ધારિત અભ્યાસક્રમ અને મૂલ્યાંકન પદ્ધતિનું પાલન કરવું પડશે.


શાળાઓએ ફક્ત તે શૈક્ષણિક સામગ્રીનો ઉપયોગ કરી શકે છે જે તેમની માન્યતા મુજબ નિયત શૈક્ષણિક સત્તામંડળ દ્વારા મંજૂર કરવામાં આવી હોય. માન્યતા વગરના પાઠ્યપુસ્તકો, માર્ગદર્શિકાઓ, સ્વાધ્યાય પોથીઓ, નિબંધમાળાઓ અને અન્ય શૈક્ષણિક સામગ્રીનો ઉપયોગ શાળાઓમાં પ્રતિબંધિત છે. શાળાઓએ ફક્ત તે શૈક્ષણિક સામગ્રીનો ઉપયોગ કરી શકે છે જે શૈક્ષણિક સત્તામંડળ દ્વારા અધિકૃત કરવામાં આવેલ હોય અને શૈક્ષણિક સત્તાધિકારી દ્વારા મંજૂર કરવામાં આવેલ હોય. શાળાઓએ ફક્ત તે શૈક્ષણિક સામગ્રીનો ઉપયોગ કરી શકે છે જે શૈક્ષણિક સત્તામંડળ દ્વારા અધિકૃત કરવામાં આવેલ હોય અને શૈક્ષણિક સત્તાધિકારી દ્વારા મંજૂર કરવામાં આવેલ હોય.


રાજ્ય સરકાર દ્વારા મંજૂરી ન મળેલા કોઈપણ ખાનગી પ્રકાશનોના પુસ્તકો, જેમ કે ગાઈડ, સ્વાધ્યાયપોથી, નકશાપોથી, પ્રયોગપોથી, નિબંધમાળા વગેરે, શાળાઓમાં ઉપયોગમાં લેવાની મંજૂરી નથી. માત્ર કેન્દ્ર સરકાર (એનસીઈઆરટી) અથ઼વા રાજ્ય સરકાર (જીસીઈઆરટી) દ્વારા માન્યતા પ્રાપ્ત પુસ્તકો જ શાળાઓમાં વાપરી શકાશે. બાળકોને આ માન્ય પુસ્તકો સિવાયના પુસ્તકો ખરીદવા માટે દબાણ કરવામાં આવશે નહીં, અને તેમની સાથે ભેદભાવ કે ત્રાસ આપવામાં આવશે નહીં. આ ઠરાવનો ઉલ્લંઘન કરનાર શાળા સામે જુવેનાઈલ એક્ટ ૨૦૧૫ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. આ ઠરાવનું પાલન કરાવવા માટે શિક્ષણ નિયામક અને જિલ્લા તાલુકા શૈક્ષણિક અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. શાળાઓએ આ ઠરાવની જોગવાઈઓ તેમની વેબસાઈટ અને નોટિસ બોર્ડ પર મૂકવાની રહેશે. વાલીઓને આ ઠરાવની જાણ થાય તે માટે પગલાં લેવામાં આવશે.