અમદાવાદ: ગુજરાત અગનભઠ્ઠીમાં શેકાયું છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં તો આકાશમાંથી અગનજ્વાળા વરસી રહી છે. એવામાં હવામાન વિભાગે(IMD) આગાહી કરી છે  કે, હજુ પાંચ દિવસ ગુજરાતમાં  ગરમીનો પ્રકોપ રહેશે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ (Orance Alert)જાહેર કરાયું છે. હવામાન વિભાગના મતે, 23 મે સુધી કચ્છ, સુરેન્દ્રનગર, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, આણંદ અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આજે રાજ્યના પાંચ શહેરમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. અમદાવાદ, ગાંધીનગર,  રાજકોટ, સુરેન્દ્રનગર અને ડીસામાં 45 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 


રાજ્યના સાત શહેરોમાં હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી છે. જેમાં કચ્છ, જૂનાગઢ, ભાવનગર, બનાસકાંઠામાં પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે. ગાંધીનગર,અમદાવાદમાં પાંચ દિવસનું ઓરેન્જ (Orance Alert) એલર્ટ અપાયું છે. તો કચ્છ,રાજકોટ,પોરબંદર,ભાવનગરમાં ઓરેન્જ (Orance Alert) એલર્ટ અપાયું છે. સુરેન્દ્રનગર,અમરેલીમાં ગરમી (Heat)નું યલો (Yellow Alert) એલર્ટ અપાયું છે. તાપમાન (Weather)નો પારો એકથી બે ડિગ્રી વધી શકે છે. અમદાવાદ,ગાંધીનગરમાં પાંચ દિવસ 45 ડિગ્રી સુધી તાપમાન (Weather) રહેશે.



  1. તમારી જાતને હાઇડ્રેટેડ રાખો


રિપોર્ટ અનુસાર, ઉનાળામાં મોડી રાત સુધી ફરવાથી વધુ પડતો પરસેવો થાય છે, જેના કારણે શરીરમાં પાણીની ઉણપ થાય છે, ડીહાઈડ્રેશનથી બચવા માટે ઓછામાં ઓછું 2-3 લીટર પાણી પીવું જોઈએ. દિવસના તમારા આહારમાં પુષ્કળ ફળો અને શાકભાજીનું સેવન કરો



  1. બહાર જવાનું ટાળો


જો તમારે હીટ વેવથી બચવું હોય તો ઘરની બહાર ન નીકળો. જો તમારા ઘરમાં કુલર, એસી ન હોય તો જાડા પડદા રાખો. આમ કરીને પણ તમે ખુદને લૂ થી બચાવી શકો છો.



  1. તડકાથી બચવાની કોશિશ કરો


ઉનાળામાં દિવસ દરમિયાન ઘણીવાર લોકો હીટ સ્ટ્રોકનો શિકાર બને છે. જો કોઈ અગત્યનું કામ ન હોય તો ઘરની બહાર ન નીકળો. જો ઘરની બહાર જવું ખૂબ જ જરૂરી હોય તો જૂના કપડાં અને જાડા કપડા જ બહાર કાઢો.



  1. ખાલી પેટ ઘરની બહાર ન નીકળો


જો બહાર ઉનાળામાં લૂ ફૂંકાતી હોય તો ક્યારેક ખાલી પેટે ઘરની બહાર ન નીકળવું જોઈએ. ખાલી પેટે બહાર નીકળવાથી તમારું શરીર ગરમીના પ્રારંભિક તબક્કામાં ઝડપથી બહાર આવે છે. જેના કારણે તમને ચક્કર આવી શકે છે અને ઝાડા થઈ શકે છે.