સૌરાષ્ટ્રમાં મેઘ હવે કહેર વરસાવી રહ્યો છે ત્યારે ધરતીપુત્રોની ચિંતા પણ વધારો થયો છે. મોટાભાગના જિલ્લાઓમાં ખેડૂતોના પાકને નુકસાન જવાની ભીતી છે. મગફળી, કપાસ જેવા પાકોને મોટું નુકસાન થાય તેવી ખેડૂતોને ભીતિ છે.
અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે સૌરાષ્ટ્રભરમાં મેઘમહેર યથાવત છે. રાજકોટમાં આજે વહેલી સવારથી સમગ્ર શહેરમાં પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને કારણે ભાદર ડેમ 2ના દરવાજા ત્રણ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ડેમના દરવાજા ખોલવામાં આવતા નીચાણવાળા વિસ્તારો અને ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે.