હવામાન વિભાગની આગાહી મુજબ આજથી ત્રણ દિવસ રાજ્યમાં ફરી વરસાદ જામશે. હવામાન વિભાગે ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. સૌરાષ્ટ્ર કચ્છમાં ફરી થશે મેઘ મંડાણ..


ગુજરાતમાં એક દિવસના વિરામ બાદ  ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. હવામાન વિભાગની આગાહી મુજબ 19 અને 20 સપ્ટેમ્બર ભારે વરસાદ થઇ શકે છે. રાજ્યામાં હજુ 20 ટકા વરસાદની ઘટ્ટ છે.


બંગાળની ખાડીમાં સર્જાયેલા લો ડિપ્રેશનના કારણે ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. જેની સીધી અસર ગુજરાત પર થશે. હવામાન વિભાગે ગુજરાતના અલગ અલગ જિલ્લામાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. વરસાદની શક્યતાને જોતો હવામાન વિભાગે મંગળવાર સુધી ઓરેંજ અલર્ટ જાહેર કર્યું હતું.


બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર, ડિપ્રેશનમાં ફેરવાયા બાદ ગુજરાતમાં કેટલાક જિલ્લામાં ફરી મેઘમંડાણ થઇ શકે છે. હવામાન વિભાગે 19થી 21 તારીખ સુધી એટલે કે, આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે મહીસાગર, દાહોદ, પંચમહાલ,અરવલ્લી,સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.


20 સપ્ટેમ્બર સોમવારે એટલે આવતી કાલે છોટાઉદેપુર, દાહોદ,પંચમહાલ, ખેડા, અરવલ્લી, વડોદરા, મહીસાગર, સાંબરકાંઠામાં મઘ્યમથી ભારે વરસાદ થઇ શકે છે.


હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ  રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. જેમાં 21 સપ્ટેમ્બર મંગળવારે, મહીસાગર, છોટા ઉદેપુર,અમરેલી, ભાવનગર, વડોદરા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, , નર્મદા, સુરત, તાપીમાં વરસાદની આગાહી કરી કરી છે.


પંચમહાલ જિલ્લામાં ગોધરા, શહેરા ,હાલોલ, ઘોગમ્બા, મોરવા હડફ, કાલોલ, સહિત ગ્રામ્ય વિસ્તાર માં વરસાદે જમાવટ કરી છે. વરસાદના કારણે જીવાદોરી સમાન જળશાયોમાં  નવા નીરની આવક થતાં લોકોમાં ખુશી છવાઇ છે.


અમદાવાદમાં પણ વિરામ બાદ ફરી મેધરાજાની  શહેરમાં પધરામણી થઇ છે. આજે બોપલ, ઘુમા,શેહરના સેટેલાઈટ, જોધપુર , પ્રહલાદનગરમાં હળવા વરસાદી ઝાપટા પડ્યાં હતા. અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની એન્ટ્રી થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. સાણંદથી અમદાવાદ સુધીના પટ્ટામાં ધીમીધારે વરસાદ વરસ્યો. સાણંદ તાલુકાના ડાંગર પકવતા ખેડૂતો માટે વરસાદ આશીર્વાદ રૂપ બની રહ્યો છે.