દાહોદઃ ચાલુ ટ્રેનમાં ચડવા જતા મુસાફરનો પગ લપસ્યો, RPFના જવાને કેવી રીતે બચાવ્યો જીવ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 11 Nov 2020 04:27 PM (IST)
આરપીએફ જવાન બાબુ રાઠોડે મુસાફરને પકડીને બહાર ખેંચી જીવ બચાવ્યો હતો. આરપીએફના જવાને મુસાફરનો જીવ બચાવવા તેને પકડી પ્લેટફાર્મ પર દોડ લગાવી ટ્રેન રોકાતા બહાર કાઢ્યો હતો.
દાહોદઃ આરપીએફ જવાને દાહોદ રેલવે સ્ટેશન પર મુસાફરનો જીવ બચાવ્ચો છે. ચાલુ ટ્રેનમાં ચડવા જતા મુસાફરનો પગ લપસતા ટ્રેન અને પ્લેટફાર્મ વચ્ચે મુસાફર ફસાયો હતો. બાંદ્રા-અમૃતસર પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાં ચડવા જતા બનાવ બન્યો હતો. જોકે, આરપીએફ જવાનની સમયસૂચકતાને પગલે મુસાફરનો જીવ બચી ગયો હતો. આરપીએફ જવાન બાબુ રાઠોડે મુસાફરને પકડીને બહાર ખેંચી જીવ બચાવ્યો હતો. આરપીએફના જવાને મુસાફરનો જીવ બચાવવા તેને પકડી પ્લેટફાર્મ પર દોડ લગાવી ટ્રેન રોકાતા બહાર કાઢ્યો હતો. તમામ ઘટના cctvમાં કેદ થઈ છે.