જામનગરઃ હવસખોર બાપે સગી દીકરી પર ગુજાર્યો બળાત્કાર, કોણે કરી પોલીસ ફરિયાદ ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 11 Nov 2020 10:22 AM (IST)
જોડીયા પંથકની સીમમાં રહેતા પરપ્રાંતિય શ્રમિક પરિવારની 11 વર્ષની માસૂમ દીકરી લગભગ ચાર દિવસ પહેલા માતા વતન જતા એકલી હતી. ત્યારે સગા પિતાએ જ દીકરીને હવસનો શિકાર બનાવી હતી અને સતત બે દિવસ સુધી દીકરી પર બળાત્કાર ગુજાર્યો હતો.
પ્રતિકાત્મક તસવીર.
જામનગર : જોડિયા પંથકને શર્મસાર કરતી ધૃણાસ્પદ ઘટના સામે આવી છે. ૧૧ વર્ષની દીકરી પર સગા બાપે બળાત્કાર ગુજારતા સમગ્ર પંથકમાં નરાધમ પિતા પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. પોલીસે આરોપી પિતને દબોચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે સભ્ય સમાજ હચમચી ગયો છે. જોડીયા પંથકની સીમમાં રહેતા પરપ્રાંતિય શ્રમિક પરિવારની 11 વર્ષની માસૂમ દીકરી લગભગ ચાર દિવસ પહેલા માતા વતન જતા એકલી હતી. ત્યારે સગા પિતાએ જ દીકરીને હવસનો શિકાર બનાવી હતી અને સતત બે દિવસ સુધી દીકરી પર બળાત્કાર ગુજાર્યો હતો. માતા વતનથી આવતાં દીકરી સંપૂર્ણ હકિકત જણાવતા માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આથી માતા તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચી હતી અને પતિ સામે પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે ફરિયાદને આધારે ગણતરીની કલાકમાં જ આરોપીને દબોચી લીધો હતો.