દેવભૂમિ દ્વારકાઃ ખંભાળીયાની સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાંથી ખેડૂતના ખાતામાંથી અજાણી વ્યક્તિ 2 લાખ રૂપિયા લઇ ગયાની ફરિયાદ ખેડૂતે કરી હતી. કોઇ અજાણી વ્યક્તિએ ખોડૂતનો અંગુઠો લગાવીને 2 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા. ખેડૂત દ્વારા આ અંગે બેંકના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી હતી. પરંતુ બેંકના અધિકારીઓ ખેડૂતને યોગ્ય જવાબ નહી આપતા અને 23 તારીખ સુધી રાહ જોવા માટે જણાવ્યું હતું. જેથી ખેડૂતે આ મામલે પોલીસને ફરિયાદ કરી હતી. ત્યાર બાદ ખંભાળીયા પોલીસે આ અંગે તપાસ હાથ ધરી હતી.