આણંદઃ રાજ્યમાં સતત કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે આણંદના એક ગામના લોકોએ કોરોનાને રોકવા માટે અનોખી પહેલ હાથ ધરી હતી. મળતી જાણકારી અનુસાર, આણંદના ધર્મજમાં સ્વયંભૂ લોકડાઉન લાદવામા આવ્યું હતું. તે સિવાય દૂધ, અનાજ અને શાકભાજીની દુકાનો સિવાય તમામ ધંધા રોજગાર બંધ કરવાનો ગામના લોકોએ નિર્ણય લીધો હતો.


ઉપરાંત કોરોનાને ફેલાતો અટકાવવા માટે ગામના તમામ દુકાનદારોના કોવિડ ટેસ્ટ કરાયા હતા. તે સિવાય ગામના તમામ લોકોનો ફરજિયાત પણે કોરોનાનો ટેસ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને તેની શરૂઆત પણ કરી દેવામાં આવી હતી. ગ્રામ પંચાયત દ્વારા સતત કોવિડ-19ને નાથવા જનજાગૃતિનો પ્રારંભ કરાયો હતો