ભુજ: પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાંઓ પર મોટી કાર્યવાહીના સમાચારો સામે આવી રહ્યાં છે. ભારતના 12 મિરાજ 2000 જેટએ પાકિસ્તાનમાં 1000 કિલોમાં બૉમ્બ ફેંક્યા છે. આ સમગ્ર કાર્યવાહીને લઈને ભારત-પાકિસ્તાનની તમામ સરહદો એલર્ટ કરી દેવામાં આવી છે.




સુત્રોના આધાર પર કહેવાઇ રહ્યું છે કે, મિરાજ ફાઇટર જેટે પાકિસ્તાનના આતંકી કેમ્પોને ધ્વસ્ત કરી દીધા છે. પાકિસ્તાનની સેનાએ ખુદ આ વાતને સ્વીકારી છે કે ભારતના વિમાન સીમા પાર કરીને પાકિસ્તાની વિસ્તારમાં ઘૂસ્યા.



આ હુમલા બાદ ગુજરાત સહિતની તમામ બોર્ડર હાઈએલર્ટ કરવામાં આવી છે. કચ્છ અને જામનગરના વાયુસેનાનો તમામ સ્ટાફ શસ્ત્રો સાથે સ્ટેન્ડ ટુમાં છે. અન્ય રાજ્યોની બોર્ડર પર પણ એલર્ટ જાહેર કરાયું છે. આ સાથે જ આર્મીની ત્રણેય પાંખ તૈયાર રખાય છે.