જામનગરઃ શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતા મેડિકલ સ્ટોરના સંચાલકો પોતાના ઘરે જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. 42 હિતેશ પરમારે સૂસાઇડ નોટ લખીને આપઘાત કરી લીધો છે. ઘટનાની જાણ થતાં જામનગર પોલીસ દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી.


પોલસીને તપાસ દરમિયાન સૂસાઇડ નોટ મળી આવી હતી. પોલીસે આ સૂસાઇડ નોટના આધારે વધુ તપાસ હાથ ધરી છે. સૂસાઇડ નોટમાં હિતેશ પરમારે દીકરાને ડોક્ટર થવા માટે કહ્યું છે. હિતેશ પરમારના આપઘાતને કારણે આખો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.