સુરત: ‘કોણ જાણી શકે કાળને રે અચાનક શું થશે’એ ગીતથી પ્રખ્યાત થયેલા ભાગવત કથાકાર જીગ્નેશ દાદાને સુરતની નિષ્ઠા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.


કોરોના પોઝિટિવ આવ્યા બાદ કથાકાર જીગ્નેશ દાદા હાલ એકદમ સ્વસ્થ થતા તેમને હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.



જીગ્નેશ દાદાની તબિયત કોરોનાના કારણે લથડતાં તેમના ચાહકોમાં ચિંતાની લાગણી પ્રસરી હતી. સુરત ખાતે જીગ્નેશ દાદાની સારવાર ચાલતી હતી. કથાકાર જીગ્નેશ દાદાનું સ્વાસ્થ્ય ખરાબ હોવાના સમાચાર પ્રસરતાં તેમની પ્રસંશકોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું.

જીગ્નેશ દાદાનો ઓક્સિજન માસ્ક સાથેનો હોસ્પિટલનો વીડિયો થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. હાલ જિજ્ઞેશ દાદાની તબિયત એકદમ સારી છે.