જૂનાગઢઃ કથાકાર મોરારિ બાપુએ ગીરનાર રોપ-વેમાં બેસીને અંબાજી મંદિરે કર્યા દર્શન
એબીપી અસ્મિતા વેબ ટીમ | 26 Oct 2020 02:12 PM (IST)
જૂનાગઢ ગિરનાર પર કથાકાર મોરારિ બાપુએ રોપવે માં બેસી સફર કરી હતી. રોપ વેમાં બેસી ગિરનાર પર અંબાજી મંદિરે દર્શન કર્યા હતા.
જૂનાગઢઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જૂનાગઢ ખાતે એશિયાના સૌથી મોટા ગીરનાર રોપ-વેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ત્યારે વિશ્વ વિખ્યાત રામ કથાકાર મોરારિ બાપુએ રોપ-વે માં બેસી સફર કરી છે. તેઓ ગીરનાર રોપ-વેમાં બેસીને સફર કરતા હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે. જૂનાગઢ ગિરનાર પર કથાકાર મોરારિ બાપુએ રોપવે માં બેસી સફર કરી હતી. રોપ વેમાં બેસી ગિરનાર પર અંબાજી મંદિરે દર્શન કર્યા હતા. આ સમયે સોશ્યલ ડિસ્ટન્ટનું ધ્યાન રાખી બાપુએ રોપ વે માં બેસી ગિરનારનો નયન રમણીય નજરો નિહાળ્યો હતો.