ઉત્તરાયણે પતંગ ચગાવવા ઠુમકા નહીં મારવા પડે, જાણો કેટલી રહેશે પવનની ઝડપ
abpasmita.in | 09 Jan 2020 02:26 PM (IST)
ઉત્તરાયણના દિવસે 10 કિ.મી.થી વધુ ઝડપનો પવન પતંગબાજી માટે શ્રેષ્ઠ મનાય
અમદાવાદઃ પતંગ રસિયાઓ માટે સારા સમાચાર છે. ઉત્તરાયણને દિવસે પવનની ગતિ મધ્યમ રહેશે. જેના કારણે પતંગરસિયાઓને પતંગબાજી કરવામાં મોજ પડશે. ઉત્તરાયણના દિવસે 10 કિ.મી.થી વધુ ઝડપનો પવન પતંગબાજી માટે શ્રેષ્ઠ મનાય છે. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે પવનની ગતિ 15થી 20કિ.મી. પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. પવનની દિશા ઉત્તર-પૂર્વ રહેશે. તારીખ 14 અને 15 એમ બંને દિવસે પવનની ગતિ મધ્યમ રહેવાની હોવાથી પતંગરસિયાને ઠુમકા મારીને હાથ નહીં દુખાડવા પડે. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની થઈ જાહેરાત, જાણો ક્યારે શરૂ થશે બોલિવૂડની આ એક્ટ્રેસે નાના પાટેકરની સરખામણી આસારામ સાથે કરી, કહ્યું- મંદિરો સામે હાથ જોડીને...... નિર્ભયાના દોષી વિનય શર્માએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી ક્યૂરેટિવ પિટીશન, જાણો શું હોય છે તે