ગાંધીધામઃ કચ્છમાં યુવતીએ યુવકને પ્રેમજાળમાં ફસાવી લગ્નની વાતો કરી 92 લાખ રૂપિયા પડાવી લીધા હોવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. આ અંગે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં યુવતી સામે ઉચાપતની ફરિયાદ થતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. 


પ્રતિક ભાવનાનીએ ફરિયાદ કરી છે કે,  આરોપી તૃપ્તિ અનીલ રાય, મધુ અનીલ રાય, પંકજ અગ્રવાલે મુખ્ય આરોપીનો સાથ આપીને સોશિયલ મીડિયાના માધ્યમથી લગ્નની વાતો કરી હતી. તેમજ યુવતીને કેન્સર હોવાનું જણાવીને તેની સારવાર માટે જરુરિયાત હોવાનું કહ્યું હતું. તેમજ યુવકને ઈમોશનલ બ્લેકમેઈલ કરીને  92,38,036 જેટલી રકમ પડાવીને વિશ્વાસઘાત કર્યો હતો.


યુવકે પ્રેમિકા તૃપ્તિને ફોન કરીને રૂપિયા પરત માંગ્યા હતા. આ સમયે તૃપ્તિએ જણાવ્યું હતું કે, તેના પિતા તેને રૂપિયા પરત નહીં આપે તો તેમને જાનથી મારી નાંખશે. બીજી તરફ યુવકે તૃપ્તિના પિતાનું ફેસબૂક એકાઉન્ટ ચેક કરતાં તેમના જન્મ દિવસની પોસ્ટ હતી. આ પોસ્ટ જોઇને યુવકને શંકા ઉપજી હતી. આથી આ અંગે તૃપ્તિ સાથે વાત કરતાં તેણે વાત કરવાનું ટાળ્યું હતું. તેમજ રૂપિયા પણ પરત આપ્યા નહોતો. આ પછી તો ફરિયાદને તેમના તરફથી ધમકી પણ મળવા લાગી હોવાનું તેણે ફરિયાદમાં જણાવ્યું છે. 


આરોપીએ ફરિયાદને ફોન પણ ધમકી આપી હતી અને કહ્યું હતું કે, ‘ઐસા ન હો, કી તેરે ચક્કર મેં મેરે ગુસ્સે કા શીકાર તેના પરીવાર ભી બન જાયેં,, ઓર રાતો રાત ઉઠ જાયે’. ફરિયાદમાં જણાવાયું છે કે, તેને યુવતીએ પ્રેમાળ વાતો કરીને ફસાવ્યો હતો અને ઇમોશનલ બ્લેકમેલ કરી પૈસા પડાવ્યા હતા. તેમજ આરોપીએ જયપુરનું આપેલું સરનામું પણ ખોટું હતું.


UPની યુવતીને શો-રૂમના માલિકના દીકરા સાથે બંધાયા સંબંધ, બંનેએ કર્યાં કોર્ટ મેરેજ, યુવતી ગુજરાત આવી ને બીજા યુવક સાથે બંધાયા સંબંધ...


રાજકોટઃ ગઈ કાલે શહેરના પ્રેમ મંદિર પાસે બ્યુટી પાર્લર ચલાવતી યુવતીની તેના પૂર્વ પતિએ જ ગોળી મારીને હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ હતી. યુવતી તેના ઘરમાં પતિ સાથે જમી રહી હતી, ત્યારે જ પૂર્વ પતિ ત્યાં આવી ગયો હતો અને કંઈ સમજે તે પહેલા જ તમંચાથી ગોળી મારીને હત્યા કરી નાંખી હતી. આ પછી તમંચો ત્યાં જ નાંખીને ફરાર થઈ ગયો હતો. જોકે, પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. ચાર યુવકોની સતકર્તાને કારણે પોલીસ આરોપીને પકડવામાં સફળ રહી હતી. ત્યારે મૃતક યુવતી 7 મહિના ગર્ભવતી હોવાની પણ ચોંકાવનારી વિગતો સામે આવી છે. 


રાજકોટના કાલાવડ રોડ પર વિમલનગર નજીક રવિ પાર્ક વિસ્તારમાં રહેતી અને બ્યુટી પાર્લર ચલાવતી સરિતા પંકજભાઈ ચાવડાની હત્યા કરવામાં આવી છે. ગઈ કાલે બપોરે તે પોતાના ઘરમાં પતિ પંકજ સાથે જમી રહી હતી, ત્યારે તેનો પૂર્વ પતિ આકાશ રામાનુજ મૌર્ય ઘરે આવી ચડ્યો હતો. તેમજ દેશી કટ્ટાથી હત્યા કરી નાંખી હતી. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે પૂર્વ પતિ આકાશ રામાનુજ મૌર્યની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.


સરિતા મૂળ ઉત્તરપ્રદેશના રાણીગંજની વતની છે. અગાઉ તે આરોપી આકાશના પિતાના સાડીના શોરૂમમાં નોકરી કરતી હતી, ત્યારે આકાશ સાથે તેને પ્રેમ થઈ ગયો હતો. તેમજ બંનેએ કોર્ટ મેરેજ કરી લીધા હતા. પોલીસે આ સર્ટિફિકેટ પણ કબ્જે કર્યું છે. જોકે, બંને વચ્ચે મનમેળ ન થતા 2019માં છૂટા થઈ ગયા હતા. આ પછી સરિતા રાજકોટ આવી ગઈ હતી અને 2019માં જ પંકજ ચાવડા સાથે સગાઈ કરી લીધી હતી. તેમજ 2020માં લગ્ન કર્યા હતા. 


આરોપીએ પોલીસ પૂછપરછ જણાવ્યું હતું કે, તેણે સરિતા સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. બંને યુપીના જ છે. જોકે, સરિતાએ કોર્ટ મેરેજ પછી સાથે રહેવા ઇનકાર કરી દિધો હતો. એટલું જ નહીં, આરોપીએ સરિતાને ખર્ચ માટે સાડા ત્રણ લાખ રૂપિયા પણ આપ્યા હોવાની કબૂલાત કરી હતી. બીજી તરફ આરોપીની જાણ બહાર સરિતાએ જૂનાગઢના પંકજ સાથે લગ્ન કરી લીધા હતા. જેની જાણ આરોપીને થતાં તેણે સરિતા પાસે પૈસા પરત માંગ્યા હતા. જોકે, વારંવાર માંગવા છતાં પણ સરિતા અને પંકજ પૈસા પરત આપતા નહોતો. જેને કારણે આરોપીએ સરિતાની હત્યાનું કાવતરું ઘડી કાઢ્યું હતું. 


આરોપી ગોરખપુરથી આવી મહિલાની હત્યા નિપજાવી હતી. મૃતક મહિલાના પતિ સાથે વાત કરતા આરોપીએ રૂપિયાની લેતી દેતીને કારણે હત્યાને અંજામ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.