Kutch News: રાજ્યમાં હાર્ટ એટેકના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યાં છે. રાજકોટ, વડોદરા બાદ આજે વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મોત થયાના સામાચાર સામે આવ્યા છે. આજે કચ્છના ગાંધીધામમાં એક 14 વર્ષીય કિશોરે હાર્ટ એટેકથી જીવ ગુમાવ્યો છે. 


મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં ઠેર ઠેર હાર્ટ એટેકના કેસો જોવા મળી રહ્યાં છે. આજે કચ્છ જિલ્લામાંથી એક કિશોરના મોતના સમાચાર સામે આવ્યા છે. કચ્છ જિલ્લાના ગાંધીધામના મીઠીરોહરમાં આજે 14 વર્ષના એક કિશોરનું હાર્ટ એટેકથી મોત નિપજ્યુ છે. મીઠીરોહર ગામમાં એક કંપનીની વસાહતમાં રહેતા આ 14 વર્ષીય કિશોરને રાત્રિના દોઢ વાગ્યાના સમયે છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો, અને સતત ગભરામણ થઇ રહી હતી, આ પછી તેને હૉસ્પીટલ લઇ જવામાં આવ્યો પરંતુ રાત્રે અઢી વાગે હૉસ્પીટલ પહોંચે તે પહેલા જ તેનું હાર્ટ એટેકથી મોત થઇ ગયુ હતુ. આ પરપ્રાંતિય પરિવાના 14 વર્ષીય કિશોરના અચાનક હાર્ટ એટેકથી થયેલા મોતથી આખા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. 


તાળી પાડો અને રામનું નામ લો, હાર્ટ અટેક નહીં આવેઃ મોરારી બાપુ


હાર્ટ એટેકથી થઈ રહેલા મોતને લઈને મોરારિ બાપુએ ચિંતા વ્યક્ત કરી છે. મહુવા ખાતે રામકથાની પૂર્ણહુતિ સમયે તેમણે ચિંતા વ્યક્ત કરી. મોરારી બાપુએ કહ્યું કે, તાળી પાડો અને રામનું નામ લો એટલે હાર્ટ અટેક નહીં આવે. તેમણે વધુમાં કહ્યું કે, હાર્ટ અટેકથી બચવા તાળી પાડો, બંધ નળીઓ ખુલી જશે. તાળી પાડવાથી હાર્ટ અટેકથી નહીં આવે. મહુવા ખાતે ચાલતી રામકથાની પૂર્ણાહુતિ સમયે મોરારિબાપુએ હાર્ટ એટેકને લઈ ચિંતા વ્યક્ત કરી. મોરારિબાપુએ કથા દરમ્યાન તાળી પાડીને રામ નામ લ્યો ભજન ગાતાં સમયે હાર્ટ એટેક પર વાત કરી. મોરારિબાપુએ કહ્યું હાર્ટ એટેકથી બચવા તાળીઓ પાડવાથી આપો આપ બંધ નળીઓ ખુલી જશે. જૂના જમાનામાં ઋષિ મુનિઓ તાળી પાડીને ભજનો ગાતા હતા તેમને ક્યારેય હાર્ટ એટેક નહોતા આવતા. ગામડાનાં લોકો ગરબા ભજન સમયે ઉલી ઊલી ને તાલી પાડતા હોય છે એને હાર્ટ એટેક નથી આવતો ને આજે યુવાનો કહે છે મારી નળી બંધ થઈ ગઈ. હુ કહું છું તાલી પાડીને અંતરનાં દરવાજા ખોલજો એટેક નહિ આવે.


રાજ્યમાં શરૂ થયેલો હાર્ટ એટેકનો સિલસિલો હજુ પણ યથાવત છે. રાજ્યમાં હાર્ટ એટેકથી મોતનો આંકડો સતત વધી રહ્યો છે, હાલમાં વડોદરામાંથી વધુ બે યુવાનો હાર્ટ એટેકથી મોતને ભેટ્યાના સમાચાર સામે આવ્યા છે. ખાસ વાત છે કે, આ સાથે જ છેલ્લા 15 દિવસતી હાર્ટ એટેકથી મૃત્યુ પામનારાઓની સંખ્યા 11 સુધી પહોંચી ગઇ છે.  મળતી માહિતી પ્રમાણે, વડોદરા શહેરમાંથી વધુ બે યુવાઓના હાર્ટ એટેકથી મોત થયા છે. છેલ્લા 15 દિવસમાં હાર્ટ એટેકથી કુલ 11 લોકોના મોત થયાના સમાચાર છે. આજે સવારે વડોદરાના વાઘોડિયા રૉડ અને તે વિસ્તારમાં રહેતા યુવાનનું હાર્ટ એટેકથી મોત થયુ છે, વાઘોડિયા રૉડ પર રહેતો 37 વર્ષીય તત્સતકુમાર ભટ્ટ ક્રિકેટ રમવા ગયો હતો ત્યાં તેને અચાનક ગભરામણ થઇ અને ઢળી પડ્યો હતો. બાદમાં તેને ખાનગી હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, ત્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઉપરાંત શહેરના ફતેગંજમાં પણ બીજી એક હાર્ટ એટકની ઘટના સામે આવી હતી, ફતેગંજના કમાટીપુરામાં રહેતો 47 વર્ષીય સંતોષ દેસાઈને ફરજ હતો તે દરમિયાન તેને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો. બાદમાં સંતોષને સારવાર અર્થે ગોત્રી હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.