અમદાવાદ: અમદાવાદના સાણંદમાં સરખેજ હાઈવે પર ગટરમાં ખાબકેલા શ્રમિકનો હજુ પત્તો લાગ્યો નથી.  ગટરલાઈનમાં ચેમ્બરની કામગીરી ચાલી રહી હતી તે સમયે શ્રમિક પડ્યો હતો.  ફાયરના જવાનોએ સરખેજથી જુહાપુરા સુધી આવેલી ચાર કિ.મી લાંબી ડ્રેનેજ લાઈનના તમામ મેઈન હોલના ઢાંકણાં ખોલીને તપાસ કરી છે.  ટ્રાઈપોર્ડ રેસ્ક્યુ લાઈન અન્ડર વોટર કેમેરાથી શોધખોળ કરાઈ રહી છે.  પરંતુ બે દિવસ બાદ પણ હજુ લાપતા યુવકની કોઈ ભાળ મળી નથી. 


અમદાવાદના સાણંદ સરખેજ હાઇવે ઉપર બે દિવસ બાદ પણ શોધખોળ ચાલુ છે.  20 જાન્યુઆરીના રોજ શ્રમિક પડ્યો હોવાની  માહિતી મળી હતી.  ગટરલાઈનમાં ચેમ્બરની કામગીરી સમયે શ્રમિક પડ્યો હતો.    ફાયરવિભાગને મળેલા કોલ અનુસાર સાણંદ સરખેજ હાઇવેથી ગ્યાસપુર કેનાલ સુધી શોધખોળ ચાલુ છે.


ટ્રાઈપોર્ડ રેસ્ક્યુ લાઈન અન્ડર વોટર કેમેરા દ્વારા કામગીરી હાથ ધરાઈ રહી છે.  બે દિવસ બાદ પણ સંભવત ગટરમાં પડી ગયેલા શ્રમિક અંગે કોઈ ભાળ નથી.  ફાયરવિભાગની ટીમ દ્વારા સાણંદ સરખેજ હાઇવેથી જુહાપુરા સુધીના માર્ગ ઉપર કામગીરી હાથ ધરી છે.  


Nasal Vaccine: ભારતની પહેલી નેજલ વેક્સીન 26 જાન્યુઆરીએ થશે લૉન્ચ


દેશમાં જ બનેલી પહેલી ઇન્સ્ટ્રાનેજલ કૉવિડ-19 વેક્સીન ‘ઇનકૉવૈક’ને 26 જાન્યુઆરીએ લોકોને આપવાની શરૂઆત કરવામાં આવશે. કંપનીના અધ્યક્ષ અને પ્રબંધ નિદેશક કૃષ્ણા એલાએ આ જાણકારી આપી. આને સ્વદેશી ભારત બાયૉટેકે બનાવી છે. ચીનમાં વધતા કોરોનાના કેર વચ્ચે ભારત સરકાર તરફથી ગયા વર્ષે 23 ડિસેમ્બરે આ વેક્સીનને મંજૂરી આપવામાં આવી હતી. 


ભોપાલમાં આયોજિત ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ (IISF)માં સ્ટુડન્ડ્સની સાથે વાતચીત દરમિયાન કૃષ્ણા એલાએ બતાવ્યુ કે, નેજલ વેક્સીન અધિકારિક રીતે 26મી જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ પર લૉન્ચ કરવામાં આવશે. ભારત બાયૉટેક તરફથી ગયા વર્ષે ડિસેમ્બરમાં એલાન કરવામાં આવ્યુ હતુ કે, આની કિંમત 25 રૂપિયા પ્રતિ ડૉઝ હશે. વળી, પ્રાઇવેટ વેક્સીન સેન્ટર માટે આની કિંમત 800 રૂપિયા પ્રતિ ડૉઝ હશે. 


તાજેતરમાં જ આને લઇને બીજી એક વાત સામે આવી હતી કે નેજલ વેક્સીન તે લોકોને નહીં લગાવવામાં આવે, જેઓ પહેલાથી બૂસ્ટર ડૉઝ લઇ ચૂક્યા છે. આ જાણકારી દેશના વેક્સીન ટાસ્ક ફૉર્સના પ્રમુખ ડૉ.એનકે અરોડાએ આપી હતી. આ એ લોકો માટે છે જેમને હજુ સાવચેતી માટેનો આ ડૉઝ નથી લીધો. 


અસરદાર છે નેજલ વેક્સીન  - 


ભારત બાયૉટેકની આ નેઝલ વેક્સીનનું નામ iNCOVACC છે. આ વેક્સીનને ભારત બાયૉટેક અને અમેરિકાની વૉશિંગટન યૂનિવર્સિટીએ ભેગા મળીને બનાવી છે, આ ત્રણ ફેઝના ટ્રાયલમાં અસરદાર સાબિત થઇ છે. આનાથા પહેલા ભારતના ઔષધિ મહાનિયંત્રક DCGI એ ભારત બાયૉટેકની ઇન્ટ્રા નેઝલ કૉવિડ વેક્સીન  (Intranasal Covid vaccine) ને ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી આપી દીધી હતી.