મળતી વિગત પ્રમાણે મધ્યપ્રદેશના ખેતમજૂર પરિવાર સાથે બાળક ગામની નદીએથી ખેતર તરફ જતા હતા તે સમયે બાળક પર હુમલો કર્યો હતો. લોકોના હોબાળાના કારણે દીપડો બાળકને લોહીલુહાણ હાલતમાં છોડીને ભાગી ગયો હતો. જે બાદ ગંભીર રીતે ઘવાયેલા બાળકને સીએચસી સેન્ટરમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું કરૂણ મોત થયું હતું. બાળકના મોતના સમાચારથી તેના માતા-પિતાએ રોકકળ કરતાં વાતાવરણ ગમગીન બની ગયું હતું.
આ બાબતની જાણ વન વિભાગને થતા ભાગી ગયેલ દીપડાને શોધવાનું કામ હાથ ધર્યું છે.