અમરેલી: અમરેલી જિલ્લાના બગસરાના મોટા મુંજીયાસર ગામે દીપડાએ ખેડૂત પર હુમલો કર્યો છે. આ ઘટનામાં ખેડૂત વજુભાઈ બોરડનું મોત થયું છે. વજુભાઈ વાડીએ હતા તે દરમિયાન દીપડાએ તેમના પર હુમલો કર્યો હતો. દીપડાના આ પ્રકારના હુમલાથી લોકોમાં ભયનો માહોલ છે.


બગસરાના મુંજીયાસર ગામમાં આ પ્રકારની બીજી ઘટના બની છે. જેના કારણે લોકોમાં ભયનો માહોલ છે. વજુભાઈ ઘનજીભાઇ બોરડ( ઉ 50)વાડીમાં કામ કરી રહ્યા હતા તે દરમિયાન દીપડાએ તેમના પર હુમલો કર્યો હતો.

મુંજીયાસર ગામમાં આ પ્રકારની બીજી ઘટના બનતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. મુંજીયાસર ગામના લોકોમા વનતંત્ર સામે રોષ ફેલાયો છે. વન વિભાગ મોડે સુધી ઘટના સ્થળ પર ન પહોંચતા લોકોમા રોષ જોવા મળ્યો હતો.