સાબરકાંઠાના ઈડર શહેરના કોરોના સંક્રમણને અટકાવવા માટે મોટો નિર્ણય લીધો છે. ઈડરના તમામ વેપારી એસોસિએશનની બેઠક મળી હતી તેમાં વાસણ, કાપડ મહાજન, સોની, નોવેલ્ટી, ઓટો પાર્ટ્સ, સીડ્સ અને બુટ-ચપ્પ એસોસીએશનની સ્વૈચ્છિક બેઠક યોજાઈ હતી. તેમાં વેપારીઓએ સ્વૈચ્છિક દુકાનો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
મહત્વની વાત એ છે કે, ઈડરમાં સોમવારથી શનિવાર સુધી એટલે કે એક અઠવાડિયું તમામ દુકાનો બંધ રહેશે. ઈડરનું બજાર સપ્તાહ માટે સ્વયંભૂ બંધ રહેશે.
નોંધનીય છે કે, કોરોનાનું સંક્રમણ વધતા સાબરકાંઠાના એક ગામમાં લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. હાથરોલ ગામમા 16 કોરોના પોઝિટીવ કેસ નોંધાતા એક સપ્તાહ માટે લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાથરોલ ગામમા અવરજવર અને દુકાનો બંધ કરી દેવાઈ છે.