અમદાવાદઃ લોકસભા ચૂંટણીની વચ્ચે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકર સિંહ વાઘેલાએ ભાજપની સરકાર પર પ્રહાર કર્યા છે. પુલવામાં હુમલાની તુલના ગોધરા કાંડ સાથે કરતાં વાઘેલાએ કહ્યું કે, જવાનો પર થયેલ હુમલો ભાજપનું ષડયંત્ર છે. આ દરમિયાન તેમણે એર સ્ટ્રાઈક પર પણ સવાલ ઉઠાવ્યા.


શંકરસિંહ વાઘેલાએ કહ્યું, “પુલવામાં હુમલામાં જે ગાડીનો ઉપયોગ થયો, તેમાં વિસ્ફોટ ભરેલ હતો તેનું શરૂઆતનું રજિસ્ટ્રેશન ગુજરાતનું હતું. ગોધરા કાંડની જેમ જ પુલવામાં હુમલો પણ એક ષડયંત્ર હતું.” આ દરમિયાન તેમણે કહ્યું, “આતંકવાદનો ઉપયોગ ભાજપ ચૂંટણી જીતવા માટે કરી રહી છે.”

બાલાકોટ એર સ્ટ્રાઈકને લઈને શંકરસિંહે કહ્યું, “બાલાકોટ એરસ્ટ્રાઈક હુમલામાં કોઈનું પણ મોત થયું નથી. કોઈપણ આંતરરાષ્ટ્રીય એજન્સીએ સાબિત નથી કરી શકી કે 200 આતંકીઓ માર્યા ગયા છે. બાલાકોટ એર સ્ટ્રાઈક એક સુનોયિજિત ષડયંત્ર હતું. આ થવાનું જ હતું.”