ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. ગઈકાલે પણ કચ્છના અબડાસામાં બે ઈંચ, ભચાઉ, લખતપમાં 1-1 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેને પગલે પાક ધોવાતા ખેડૂતો બરબાદ થયા છે.
મહા વાવાઝોડુ દીવ-પોરબંદર વચ્ચે ટકરાશે ત્યારે તેની અસર રૂપે કચ્છમાં પણ 50થી 60 કિ.મીની ઝડપે પવન ફુંકાશે અને દરિયામાં ઉંચા મોજા ઉછળવાની સંભાવના છે. સાત તારીખે ગુરુવારે જિલ્લાના મોટાભાગના સ્થળે હળવોથી મધ્યમ અને ભારે વરસાદની પણ શક્યતા છે.