ભરુચઃ વાલિયા તાલુકાના રામપરા ગામે પ્રેમીએ 3 સંતાનોની માતા એવી પ્રેમિકાની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. મીના વસાવાની હત્યા અંગે જાણ થતાં વાલિયા પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરી છે.


આ અંગેની વિગતો એવી છે કે, પતિના મૃત્યુ બાદ મૃતક મીનાબેન આનંદભાઈ વસાવાને ગણપત વસાવા સાથે પ્રેમ સંબંધ હતા. દરમિયાન મીનાબેનને પ્રેમી સાથે બોલાચાલી થઈ હતી. જેમાં ઉશ્કેરાયેલા ગણપતે તીક્ષ્ણ હથિયાર વડે ગળા અને પેટના ભાગમાં ઇજા પહોંચાડતા મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.