રામ જન્મભૂમિનો શિલાન્યાસ કાર્યક્રમમાં આમંત્રણ મુદ્દે મોરારિ બાપુએ મોટી સ્પષ્ટતા કરી છે.
મુખ્ય આયોજકની આ સ્પષ્ટતા છતાં પાસ દ્વારા અપાયેલી ધમકીના કારણે મોરારીબાપુના સમર્થકોએ સોશિયલ મીડિયા પર ટીકાઓનો મારો ચલાવ્યો છે. સમર્થકોનો મત છે કે, બાપુએ કથાના માધ્યમથી દેશ-વિદેશમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી છે ત્યારે તેમની કથામાં ધમાલ કરવાની વાત કરવાની વાત અવિચારીપણું છે.
અમરેલીઃ આગામી 5મી ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રામ જન્મભૂમિનો શિલાન્યાસ થવાનો છે. ત્યારે આ કાર્યક્રમ માટે ગુજરાતના કેટલાક સંતોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં આમંત્રણ મુદ્દે મોરારિ બાપુએ મોટી સ્પષ્ટતા કરી છે. મોરારિ બાપુને આમંત્રણ આપ્યુ હોવાના સમાચાર પાયાવિહોણા છે. મોરારિ બાપુને આમંત્રણ મળ્યુ હોવાનો પત્ર એ કોઇની ટિખળ છે. આમંત્રણ પત્રમાં છેડછાડ કરીને ફરતો કર્યો હોવાની વાત સામે આવી છે.