ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. આજે વધુ 1403 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. તેની સાથે અત્યાર સુધી કુલ 2,07,529 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.


રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર પણ સતત વધી રહ્યો છે. આરોગ્ય વિભાગ અનુસાર રાજ્યમાં રિકવરી રેટ 92.11 ટકા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 85,53,164 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આજે 60,523 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 1223 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 13 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4148 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 13627 એક્ટિવ કેસ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,25,304 પર પહોંચી છે.

આજે સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનમાં 259 દર્દીઓ સાજા થયા હતા. તેના બાદ સુરત કોર્પોરેશનમાં 198, અને વડોદરા કોર્પોરેશનમાં 64 દર્દીએ કોરોનાને મ્હાત આપી હતી.