સુરેન્દ્રનગર જિલ્લા માટે રાહતના સમાચારઃ એક વ્યક્તિએ આપી કોરોનાને મ્હાત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 26 May 2020 11:38 AM (IST)
પોઝિટિવ દર્દીને ૧૦ દિવસની સારવાર બાદ સરકારની ગાઇડલાઇન મુજબ સુરેન્દ્રનગર સરકારી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાંથી રજા આપવામાં આવી છે.
સુરેન્દ્રનગરઃ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે આજે જિલ્લા માટે થોડા રાહતના સમાચાર આવ્યા છે. સાયલા તાલુકાના નડાળા ગામમાં કોરોના પોઝિટિવ આવેલા ૪૦ વર્ષીય પુરુષે કોરોનાને મ્હાત આપી છે. પોઝિટિવ દર્દીને ૧૦ દિવસની સારવાર બાદ સરકારની ગાઇડલાઇન મુજબ સુરેન્દ્રનગર સરકારી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાંથી રજા આપવામાં આવી છે. નડાળા ગામના દર્દીને કોરોના પોઝિટિવ આવતા સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હજુ પણ સુરેન્દ્રનગર સરકારી હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ 20 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. અગાઉ ત્રણ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આમ, સુરેન્દ્રનગરમાં કુલ 4 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.