હાલમાં દેશમાં ગુજરાત સહિત અનેક રાજ્યમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. ત્યારે બૂથ લેવલ ઓફિસરોનેઓફલાઈન નહીં પણ સર્વરનાધાંધિયા અને ઓનલાઈનકામગીરીથી પરેશાન છે. વારંવાર સર્વરમાં ખામી સર્જાતી હોવાથી દૈનિક માંડ 10 ફોર્મનીએન્ટ્રી થઈ રહી છે. SIRની કામગીરી અંતર્ગત સૌપ્રથમ BLO ઘરે- ઘરે જઈને એન્યુમરેશનફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં BLO તરફથી તેમના બૂથના તમામ ઘરો સુધી ફોર્મપહોંચાડાયા છે અને જેઓ ઘરે હાજર ન હતા કે અન્યત્ર રહેવા જતા રહ્યા તેવા જ લોકોનાફોર્મ બાકી રહ્યા છે. BLO તરફથી એન્યુમરેશનફોર્મ વિતરણ અને પરત લેવા માટે ઓફલાઈન પદ્ધતિ ખૂબ જ ઉત્સાહ પૂર્વક કરવામાં આવી છે. પરંતુ બૂથ લેવલ ઓફિસરોને મુખ્ય પ્રશ્ન ઓનલાઈનકામગીરીનો છે.
ભરેલાફોર્મનીડિજિટલાઈઝેશનની કામગીરી વખતે સર્વરમાં વારંવાર એરર આવી રહી હોવાના લીધે તેઓ ફોર્મનીએન્ટ્રી કરવામાં નિષ્ફળ જઈ રહ્યા છે. દિવસ દરમિયાન ફોર્મ પરત મેળવવાની કામગીરી કર્યા બાદ તેઓ ઓનલાઈન કામગીરી માટે બેસે છે. ત્યારે સતત આવતી એરરના પગલે દૈનિક 10 કરતા પણ ઓછા ફોર્મનીએન્ટ્રી થઈ રહી હોવાની વિગતો સામે આવી છે. સર્વરનીએરરના કારણે ડિજિટલાઈઝેશનની કામગીરી પર અસર પડી રહી છે બીજી તરફ જે-તે વિસ્તારના મદદનીશ મતદાર નોંધણી અધિકારી બૂથ લેવલ ઓફિસરને ટાર્ગેટ કરી નોટિસ ફટકારાઈ રહી છે. અમદાવાદમાં જ 500 BLOને નોટિસ મોકલી ખુલાસો પૂછ્યો છે અને જો યોગ્ય ખુલાસો ન કરે તો કાયદાકીયકાર્યવાહીની ચીમકી ઉચ્ચારી છે. એક તરફ કામગીરીનું ભારણ બીજી તરફ નોટિસના કારણે BLO સતત તાણ અનુભવી રહ્યા છે.
નાગરિકતા અંગે ચૂંટણી પંચના નિર્દેશ
SIR પ્રક્રિયા પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન ચૂંટણી પંચે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે SIR પ્રક્રિયા અને નાગરિકતા અલગ અલગસંસ્થાઓ છે. જો કોઈ વ્યક્તિ મતદાર યાદીમાં નોંધણી કરાવવામાં નિષ્ફળ જાય છે, તો તેમની નાગરિકતા રદ કરવામાં આવશે નહીં. આનો અર્થ એ છે કે મતદાર યાદીમાં તેમનું નામ ન હોવું નાગરિકતા રદ કરવા માટેનું કારણ નથી. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન ચૂંટણી પંચે જણાવ્યું હતું કે બંધારણ અને કાયદા હેઠળ ચૂંટણી પંચ પાસે લોકોના મતદાનના અધિકારનેસુનિશ્ચિત કરવા માટે નાગરિકતાદસ્તાવેજોમાંગવાનો અધિકાર છે. જો તેમનું નામ કાઢી નાખવામાં આવે છે, તો શું તેઓ ફરીથી મતદાર યાદીમાં સામેલ થઈ શકશે? લોકો એ પણ ચિંતિત છે કે જો SIR દરમિયાન તેમનું નામ કાઢી નાખવામાં આવે તો મતદાર યાદીમાં તેમનું નામ સામેલ થશે કે નહીં. ચૂંટણી પંચના એક વરિષ્ઠ અધિકારી જણાવે છે કે SIR પ્રક્રિયા ફક્ત મતદાર યાદીને શુદ્ધ કરવાની પ્રક્રિયા છે. તેનો હેતુ પાત્ર નાગરિકોના નામનો સમાવેશ કરવાનો અને પાત્ર ન હોય તેવા લોકોને દૂર કરવાનો છે. નિષ્ણાતો કહે છે કે જો SIR પ્રક્રિયા દરમિયાન કોઈ વ્યક્તિનું નામ મતદાર યાદીમાં સામેલ ન થાય, તો ગભરાવાની જરૂર નથી. મતદાર યાદીમાં નામનો સમાવેશ સામાન્ય પ્રક્રિયાની જેમ જ કરવામાં આવે છે. તેવી જ રીતે, વ્યક્તિ પછીથી મતદાર યાદીમાં પોતાનું નામ સામેલ કરવા માટે પ્રમાણપત્ર સબમિટ કરી શકે છે.
