પાટણઃ  સિદ્ધપુર નજીક બ્રાહ્મણવાડામાં ST બસ પલટી મારતા કન્ડક્ટરનું મોત થયું છે, જ્યારે 15 મુસાફરો ઘાયલ થયા છે. જેમાંથી 6 મુસાફરોને ગંભીર ઇજા પહોંચી છે. સ્ટેરિંગ લોક થઈ જતા અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતની ઘટનામાં ST બસ કન્ડક્ટરનું મોત નીપજ્યું છે. ST બસમાં 30 વધુ મુસાફરો સવાર હતા,  જેમાં 15થી વધુ લોકોને નાની મોટી ઇજાઓ થઈ હતી.


6 મુસાફરોને ગંભીર ઇજાઓ થતા ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, હાલ તમામની તબિયત સ્થિર છે. ST બસ પાલનપુર થી છોટાઉદેપુર જતી વખતે સિદ્ધપુર ના બ્રાહ્મણવાળા નજીક બની હતી ઘટના.  ખળી અને ઉંઝા વચ્ચે બની અકસ્માતની ઘટના બની હતી. ઘાયલ મુસાફરોને સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. પાલનપુરથી છોટા ઉદયપુર બસ જઈ રહી હતી. સિદ્ધપુર પોલીસ પણ અકસ્માત સ્થળ પર પહોંચી કામગીરી હાથ ધરી હતી. 


મહેસાણાઃ બે વર્ષ બાદ ભાદરવી પૂનમનો અંબાજીનો મેળો યોજાઈ રહ્યો છે. જેમાં મોટી સંખ્યામાં માઇભક્તો પદપાળા પહોંચ્યા છે. આ દરમિયાન પદયાત્રાળુઓ પર વાહન ફરી વળવાની બે કરૂણ ઘટના બની છે ત્યારે હવે ખેરાલુ સિદ્ધપુર હાઇવે પર ફરી હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં અંબાજી ચાલતા ગયેલા હારિજના પદ યાત્રિકનું મોત થયું છે.

મળતી વિગત પ્રમાણે, શ્રદ્ધાળુ હારિજથી ચાલતા અંબાજી દર્શને ગયા હતા. જ્યાં દર્શન કરી પરત આવતા હતા ત્યારે આ ઘટના બની હતી. ખેરાલુ સિદ્ધપુર હાઇવે પર ચાલતા જતા સમય અજાણ્યા વહાન ચાલકે ટક્કર મારતાં મોત થયું હતું. વાહન ચાલક ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલે પોલીસ ગુનો નોંધી કપાસ શરૂ કરી છે.


ચોટીલા પૂનમ ભરવા જઈ રહેલા પદયાત્રીને વાહને અડફેટે લેતા મોત









અરવલ્લીના કૃષ્ણાપુર નજીક કાર ચાલકે પદયાત્રીઓને લીધા અડફેટે


થોડા દિવસ પહેલા માલપુરના કૃષ્ણાપુર પાસે પદયાત્રીઓને અકસ્માત નડ્યો હતો. એક ઇનોવા ચાલકે પદયાત્રીઓને કચડ્યા હતા. આ અકસ્તમાંતમાં કુલ 6 પદયાત્રીઓના મોત થયા હતા. જ્યારે 5 પદયાત્રીઓ ઇજાગ્રસ્ત થયા હતા. તમામ ઇજાગ્રસ્ત ને માલપુર સીએચસી ખસેડાય હતા. તમામ પદયાત્રીઓ પંચમહાલ કાલોલના અલાલીના વતની હતા.